પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨. કરાંચી મહાસભાનો ઠરાવ

[કરાંચી મહાસભાએ સ્વરાજ્યમાં તારિકાના મૂળ હા જણાવતે જે ઠરાવ રેલા તેમાંના સંસ્કૃતિ, ધર્મ, ભાષા, લિષેિ ઇ- ખાખતાને લગતા ભાગ નીચે આપ્યું છે ] મહાસભા જાહેર કરે છે કે, તેના તરફથી જે કાઈ બંધારણ કબૂલ કરવામાં આવે તેમાં આટલી બાબતોનો સમાવેશ થવું જોઈએ અથવા સ્વરાજ સરકારને તેનો અમલ કરવાની શક્તિ મળવી જોઈ એ ૧. પ્રજાના મૂળ હક્કો, જેમાં નીચેના તા હોવા જ જોઈ એઃ (ગ ) અંતરાત્માને અનુસરવાની, અને પ્રજાકીય સુલેહશાંતિ અને સદાચારની આડે ન આવે એવી રીતે ધાર્મિક માન્યતાની અને આચરણની સ્વતંત્રતા, (ધ) નાની કામેાની સંસ્કૃતિ, ભાષા અને લિપિની રક્ષા, કાઈ પણ શહેરીતે તેનાં ધર્મ, ન્યાતજાત કે માન્યતા અથવા લિંગભેદને કારણે જાહેર નોકરીમાં, સત્તા કે માનના હાદ્દામાં, અને કાઈ પણ વેપાર કે ધંધા કરવામાં કશી અડચણના અભાવ. (ચ) ૨. ધર્મની બાબતમાં સરકારની નિષ્પક્ષતા. ( ન. ૭., ૫–૪–‘૩૧ ) . તે ઢાત્ર પર ખોલતાં ગાંધીજીએ ઉપરની ખાખતે વિષે કરેલી ફલેખ નીચે મુજબ હતt :~ J નાની કામાની ભાષાલિપિની રક્ષા કરવામાં આવશે એમ આમાં જણાવ્યું છે. મુસલમાનોની સભ્યતા કંઈક અનેખી છે એમ મુસલમાને માને છે જોકે મારી દૃષ્ટિએ હિંદી ઉર્દૂ સભ્યતા અને સરખી છે. કુરાન અને મહાભારતમાં મને જુદી જુદી વસ્તુ નથી મળતી, પણ એક જ મળે છે. પણ મુસલમાન પોતાની સભ્યતાને નિરાળી વસ્તુ માને છે, એટલે આપણે સહિષ્ણુતા કેળવીએ, આત્મનિરીક્ષણ કેળવીએ. એટલે આપણે તે મુસલમાની ખાતર ઉર્દૂ શીખવાનો પ્રયત્ન કરીએ, લિપિ પણ જાણીએ. સ્વરાજ આવ્યા પછી આપણે આને કાયદે કરીએ તો એ કુદરતી વાત થઈ પડે, એટલે આજથી જ આપણે એ વાત આપણા દિલમાં સમજી લઈએ. (ન, જી., યુ-૪-'૩૧)