પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૩. રાષ્ટ્રભાષાપ્રચાર એક રચનાત્મક કા [‘ રચનાત્મક કાર્યક્રમ’ એ ચોપાનિયામાં રાષ્ટ્રભાષાપ્રચાર અને માતૃભાષાપ્રેમ એ બે વિષે લખેલા ભાગ નીચે આપ્યા છે. આપણી માતૃભાષા કરતાં આપણે અંગ્રેજી ભાષા પ્રત્યે વધારે પ્રેમ રાખતા થયા તેને લીધે સુશિક્ષિત અને રાજકીય માનસવાળા વગેર્યાં અને જનસમૂહ વચ્ચે ઊંડી ખાઈ પેદા થયેલી છે. હિંદુસ્તાનની ભાષા એથી દદ્ર બની છે. ઊંડા તે અટપટા વિચાર માતૃભાષામાં વ્યક્ત કરવાનો વૃથા પ્રયત્ન કરતાં માપણે ગોથાં ખાઈએ છીએ. વિજ્ઞાનના પારિભાષિક શબ્દને માટે આપણી પાસે સમાનાર્થક શબ્દ નથી, એનું રિણામ બહુ દુઃખદ આવ્યું છે. જનસમૂહ આધુનિક માનસથી અળગા પડી ગયેલા છે. આપણે આપણા જમાનાની હજી એટલા નજીક છીએ કે, હિંદુસ્તાનની મહાન ભાષા પ્રત્યેના આ દુલાથી હિંદુસ્તાનની જે અસેવા થઈ છે, તેનું માપ આપણાથી નીકળી શકે એમ નથી. એ વાત સહેજે સમજાય એવી છે કે, આ બૂરાઈ તે આપણે દૂર ન કરી શકીએ ત્યાં લગી જનસમૂહનું માનસ ધનમાં જકડાયેલું જ રહેવાનું. જનસમૂહ સ્વરાજની રચનામાં કરશે સગીન ફાળા નહિ આપી શકે. દરેક વ્યક્તિ પૂર્ણ સ્વરાજની હિલચાલમાં પોતાના કાળા સીધી રીતે આપે એ રેસા પર રચાયેલા સ્વરાજમાં આવશ્યક છે. જનસમૂદ્ર જ્યાં લગી એકેએક પગલું તેના પૂરા રહસ્ય સાથે સમજશે નહિ, ત્યાં લગી પાતાના કાળો પૂરેપૂરે આપી નહિ શકે. એકએક પગલું તેમની પેનાની ભાષામાં ન સમજાવાય ત્યાં લગી એવી આશા રાખવો ફાગટ છે. તે ઉપરાંત ખિલ ભારતના પરસ્પર વ્યવહારને માટે પણ આપણને હિંદના ભાષાસમૂહમાંથી એવી એક ભાષા જોઈએ છે, જે આપણી પ્રજાની મેટામાં મેટી સંખ્યા અત્યારે પણ જાણતી ન સમજતી હોય, તે જે બીજાએ સહેલાઈથી શીખી શકે એવી હોય. આ ભાષા નિર્વિવાદપણે હિંદી છે. ઉત્તર ભારતના હિંદુ અને મુસલમાન અને તે ખેલે છે ને સમજે છે, તે જ્યારે ફારસી લિપિમાં લખાય ત્યારે ઉર્દૂ કહેવાય છે. મહાસભાએ ૧૯૨૫માં કાનપુરની એકમાં પસાર કરેલા પ્રસિદ્ધ ઠરાવમાં આ અખિલ ભારતીય ભાષાને હિંદુસ્તાની નામ આપ્યું હતું. અને ત્યારથી, આછામાં ઓછું સિદ્ધાંતરૂપે તા, હિંદુસ્તાની