પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૮૩
 



જીવતાં પણ મૂએલાં ખોખાં અહીં તહીં ફરતાં ભારતભોમ,
જાણે નહિ લેવા દમ પૂરો, થથરે શીત પડે કે ધોમ;
જ્યારે માના કેશ વિંખાતા,
સુત ભય હિંસામાં ભટકતા,
લડતા ભ્રાતાશું પ્રિય ભ્રાતા , ત્યારે સાંધી ધરતી વ્યોમ
કોણે ફૂંક્યા સૌમાં પ્રાણ? —
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !


હાલ્યાં ચેતન મૃત મટ્ટીમાં, ફાલ્યાં જડ હૃદયેથી ફૂલ,
હિમઢગલેથી ભડકા ઊઠ્યા, ઝબકી સોનારજ ભરધૂળ;
પથ્થરની પ્રતિમા ત્યાં ચાલી,
ફૂટી મૂશળમાં પણ ડાળી,
જનજનના મનમાં નવરંગે પાછી ઊગી આશ અતૂલ:
એવી વર્તી કોની આણ? —
એ ગાંધી સંતસુજાણ,
એ ગાંધી સંતસુજાણ,
એ નવભારતનો પ્રાણ !