પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 


કર્યો છે; અને તેમ કરતાં સુરુચિ, વિવેક ને ગુણગ્રાહિતા વિસરાય નહિ તેટલી કાળજી રાખી છે. બીજા ખંડના લેખો અર્ધ્ય રૂપે જ હોઈને ગુણકદ્રષ્ટિએ જ તૈયાર થયા છે, અને તેથી તેમાં વિષયીભૂત ચરિત્રનાયકનું દોષનિરૂપણ એ અછતું કે વિરલ જ બનાવી દીધું છે. આમ આદરભર્યું ગુણદર્શન જ અર્ધ્યમાં પ્રાધાન્ય ભોગવે છે.

બધાજ લેખો જાત–માહિતી, સળંગ અવલોકન, પ્રત્યક્ષ અભ્યાસ કે દીર્ધ ચિંતન પછી જ તૈયાર કરવામાં આવ્યા છે. આટલો ખુલાસો અસ્મિતાનો દોષ કરીને પણ કરે અત્ર મને આવશ્યક લાગે છે. શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ મુલાકાતો લઈ નિરૂપ્યમાણ વ્યક્તિઓને સાચી સહાનુભૂતિથી સમજવાનો ને ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને તેમ કરવા જતાં પોતાનું વક્તવ્ય ઢંકાઈ ન જાય કે સત્ય હકીકત વિકૃત ન થાય તેટલી કાળજી રાખવામાં આવી છે. આવા કાર્યમાં પ્રત્યક્ષ મુલાકાતો વડે મને સંગીન પ્રોત્સાહન આપનાર દી. બ. કેશવલાલભાઈ આદિ અનેક સરસ્વતીભક્તોનો હું અત્યંત ઋણી છું. શ્રી. મોતીભાઈ અમીન સાહેબે તો તેમના વિષેના મારા તૈયાર લેખોને જાતે સુધારી આપીને તેમાંની ત્રુટિઓ ને અશુદ્ધિઓ દૂર કરી આપી છે, તે માટે હું તેમનો પણ આભારી છું.

કેટલાક લેખોમાં વિચારો કે હકીકતની પુનરુક્તિ થવા દીધી છે; કારણ કે લેખની તાદૃશતા, સરસતા તથા સંપૂર્ણતા અક્ષત રાખવા માટે તેમ કરવું અને આવશ્યક અને ઇષ્ટ લાગ્યું છે. સુજ્ઞ વાચકવર્ગ આ દ્રષ્ટિએ આ પુનરુક્તિદોષ નિભાવી લે તેમ વિનંતિ છે.

આ પુસ્તક વિવિધતા, નિખાલસતા, ગુણગ્રાહિતા, ગહનતા