પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સાહિત્યને ઓવારેથી
 


શું અસ્થાને છે ? પણ જીવનભર અતિશ્રમ કરવાથી ઉત્તરાવસ્થામાં કુદરતની શિક્ષાને આધીન બનેલા આ જ્ઞાન–વૃદ્ધ અધિકારી આજે આવા કાર્ય માટે પણ છેક અશક્ત ને અસહાય જ બની ગયા છે. સંક્ષેપમાં નીતિ[૧] અને આન્વીક્ષિકી[૨] ઉભયના આ વેત્તા નર્મદાશંકરભાઈને જગત્‌પિતા સુંદર સ્વાસ્થ્ય ને દીર્ધ આયુષ્ય અર્પે એ જ અંતિમ પ્રભુપ્રાર્થના❋[૩]


  1. ૧. રાજનીતિ
  2. ૨. અધ્યાત્મવિદ્યા
  3. ❋ દી. બ. નર્મદાશંકરભાઇનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું છે તેની અહીં સખેદ નોંધ લેવામાં આવે છે.—કર્તા (બીજી આવૃત્તિ).