પૃષ્ઠ:Sandeshika.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦



દુનિયાએ અળગો કીધો,
તે કરવા પ્રિય વધુ આજ,
વ્હાલાંએ ઘા ઉર દીધો,
તે ચુંબન કરવા કાજ :
તેં સ્નેહસુધારસ પીધો,
લઈ પ્રભુઘેલાંનો સાજ :
જો, પ્રભુએ ખોળે લીધો
ને શિર મૂક્યું સુરતાજ !.............૮

જન્મે જન્મે ઉર કસવું,
એ છે વિધિની શુભ નેમ,
જોવા અંધારે ધસવું,
લેવા ખોવું જગક્ષેમ ;
દુનિયા માં દુ:ખે હસવું,
ને સુખમાં રડવું તેમ :
વ્હાલા, વિભુઉરમાં વસવું
તું સમજ્યો સાધી પ્રેમ. ......૯