પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક્ ૪ થો
૩૧
સાર-શાકુંતલ

ઉત્સુક છું તો પણ આ આશ્રમ સ્થળને છોડતાં દુઃખે દુઃખે પણ મારા પગ સામે મોડે ઉપડતા નથી.

પ્રિયં૦— બેન ! તુંજ એકલી તપોવનના વિરહથી કાયર નથી, તારો વિયોગ જાણી, તપોવનની પણ અવસ્થા એવીજ થઈછે–

મૃગ તૃણકવલતજેલા, મોર દિસંતા તજેલનૃતખેલ;
પાકાં પત્ર તજંતી જાણે આંસૂજ પાડતી વેલ. ૭૧

શકું૦— (સંભારી) તાત ! હું મારી લતા ભગિની વનજયોત્સ્નીને બોલાવી લેઊં.

કણ્વ— વત્સે ! હું જાણું છું તારે તેની સાથે માની જણી જેવો સ્નેહ છે: આ રહી તે, જમણીકોરે જો.

શકું૦— જ્યોત્સ્ની ! તું આંબાને વળગેલી છે તો પણ તારા શાખારૂપ બાહુએ આલિંગન આપ મને, આજથી હું તારાથી દૂર રહેનારી થાઉછું. તાત ! મારીજ પેઠે એની સંભાળ રાખજો.

કણ્વ— વત્સે !

સંકલ્પિયો પ્રથમ મેં તુજકાજ સ્વામી,
તેવોજ નીજ સરખો સુકૃતે તું પામી;
આંબાનિ સાથ મળિ છે નવમલ્લિકા જો,
નિશ્ચિંત છું ઉભયને વિષયે હવાં જો. ૭૨

શકું૦— સખીઓને !તમો બંનેને સોંપુંછું, સંભાળજો વનજ્યોત્સ્નીને.

સખીઓ— પણ અમને તું કોને સોંપેછે ?!

કણ્વ— અનુસૂયા ! પ્રિયંવદા ! રડતાં બંધ રહો, તમારે તો શકુંતલાને ધીરજ આપવી.

શકું૦— તાત ! આશ્રમમાંજ ચરનારી આ ગાભણી મૃગી સુખે વિયાય ત્યારે તમે કોઈને મોકલી મને જણાવશો, વિસરશો નહિ.

કણ્વ— વત્સે ! એ હું નહિ વિસરૂં.

શકું૦— (ગતિભેદ દાખવી) અરે આ કોણ વારે વારે મારા પાલવ તળે દોડી આવે છે?

કણ્વ— વત્સે !

જેને મુખે કુષઅણી ખુંચતી બહૂ જો,
સૂજે ક્ષતે સિંચતિ ઇંયુંદિતેલ તૂં તો;
સામો ખવાડી મુઠિયે પ્રિતથી ઉધાર્યો,
તે આ ન પાગ તજતો મૃગબાળ તારો. ૭૩