પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
અંક ૫ મો
સાર-શાકુંતલ

પણ હશે પારકી સ્ત્રીને નિહાળવી નહિ.

શકું૦— હૃદય તું કેમ ધડકે છે? આર્યપુત્રના ભાવનું સ્મરણ કરીને ધીરજ ધર.

પરો૦— (આગળ જઈને) આ તપસ્વિયોનું યથાવિધિ પૂજન થયું, હવે એઓના ગુરુનો કાંઈ સંદેશો છે તે દેવે સાંભળવો.

રાજા— એકચિત્તે સાંભળું છું.

ઋષિયો— હો રાજા ! વિજય છે તારો.

રાજા— હું અભિવંદન કરૂં છું.

ઋષિયો— તારૂં અભિષ્ટ સિદ્ધિને પામો.

રાજા— મુનિયો નિર્વિધ્ને ત૫ કરેછેની ?

ઋષિયો

ક્યાંથી ધર્મક્રિયાવિધ્ન: સંતરક્ષક તૂં છતે;
તપંતો સૂર્ય હોયે ત્યાં ઉદ્ભવે તમ કેમ તે? ૯૧

રાજા— તે સર્વથા રાજશબ્દનું સાર્થક થવું, વારૂ લોકકલ્યાણને અર્થે કણ્વ કુશળ તો છે ?

ઋષિ— રાજા ! સિદ્ધિમંત પુરૂષોને સ્વાધીન રહે છે કુશળ. તેણે નિરુ૫દ્રવના પ્રશ્નપૂર્વક આ પ્રમાણે તને કહાવ્યું છે.

રાજા— શી આજ્ઞા કરે છે ભગવાન્ ?

શારંગ૦— પરરપર વદાડ કરી આ મારી પુત્રી સાથે તેં જે લગ્ન કીધું તે તમારા બેનું મેં પ્રીતિયે ક્ષમાપૂર્વક માન્ય રાખ્યું છે કેમકે –

તું યોગ્યમાં અગ્રસર પ્રમાણિ આ
શકુંતલા મૂર્તિમતી જ સત્ક્રિયા;
સમાન છે તુત્યગુણે વધૂવર.
સદાનિ નિંદા ઉગર્‌યો પ્રજાકર. ૯૨

તો હવે એ ગર્ભિણીનો સ્વીકાર કર, ધર્માચરણ સાથે કરવાને.

ગૌતમી— આર્ય ! મારાં મનમાં છે કે કાંઈ બોલવું પણ અવસર નથી કેમકે–

વડીલને ન અપેક્ષ્યા એણે, તેં નહિ બંધુને પૂછ્યું,
એકકમાં હવું એમ ચરિત તો, કોણે કોને કહેવું શું ? ૯૩

શકું૦— (સ્વગત) હવે આર્યપુત્ર શું કહેશે ?

રાજા— (સશંક) રે, વળી આ શું નિકળ્યું ?

શકું૦— (સ્વગત) આ ભાષણપ્રકાર તો કેવળ અગ્નિજ છે.