પણ હશે પારકી સ્ત્રીને નિહાળવી નહિ.
શકું૦— હૃદય તું કેમ ધડકે છે? આર્યપુત્રના ભાવનું સ્મરણ કરીને ધીરજ ધર.
પરો૦— (આગળ જઈને) આ તપસ્વિયોનું યથાવિધિ પૂજન થયું, હવે એઓના ગુરુનો કાંઈ સંદેશો છે તે દેવે સાંભળવો.
રાજા— એકચિત્તે સાંભળું છું.
ઋષિયો— હો રાજા ! વિજય છે તારો.
રાજા— હું અભિવંદન કરૂં છું.
ઋષિયો— તારૂં અભિષ્ટ સિદ્ધિને પામો.
રાજા— મુનિયો નિર્વિધ્ને ત૫ કરેછેની ?
ઋષિયો—
ક્યાંથી ધર્મક્રિયાવિધ્ન: સંતરક્ષક તૂં છતે;
તપંતો સૂર્ય હોયે ત્યાં ઉદ્ભવે તમ કેમ તે? ૯૧
રાજા— તે સર્વથા રાજશબ્દનું સાર્થક થવું, વારૂ લોકકલ્યાણને અર્થે કણ્વ કુશળ તો છે ?
ઋષિ— રાજા ! સિદ્ધિમંત પુરૂષોને સ્વાધીન રહે છે કુશળ. તેણે નિરુ૫દ્રવના પ્રશ્નપૂર્વક આ પ્રમાણે તને કહાવ્યું છે.
રાજા— શી આજ્ઞા કરે છે ભગવાન્ ?
શારંગ૦— પરરપર વદાડ કરી આ મારી પુત્રી સાથે તેં જે લગ્ન કીધું તે તમારા બેનું મેં પ્રીતિયે ક્ષમાપૂર્વક માન્ય રાખ્યું છે કેમકે –
તું યોગ્યમાં અગ્રસર પ્રમાણિ આ
શકુંતલા મૂર્તિમતી જ સત્ક્રિયા;
સમાન છે તુત્યગુણે વધૂવર.
સદાનિ નિંદા ઉગર્યો પ્રજાકર. ૯૨
તો હવે એ ગર્ભિણીનો સ્વીકાર કર, ધર્માચરણ સાથે કરવાને.
ગૌતમી— આર્ય ! મારાં મનમાં છે કે કાંઈ બોલવું પણ અવસર નથી કેમકે–
વડીલને ન અપેક્ષ્યા એણે, તેં નહિ બંધુને પૂછ્યું,
એકકમાં હવું એમ ચરિત તો, કોણે કોને કહેવું શું ? ૯૩
શકું૦— (સ્વગત) હવે આર્યપુત્ર શું કહેશે ?
રાજા— (સશંક) રે, વળી આ શું નિકળ્યું ?
શકું૦— (સ્વગત) આ ભાષણપ્રકાર તો કેવળ અગ્નિજ છે.