પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫


“તે નિરંજન નિરાકાર છે.”

“તો તો, નવીનચંદ્રજી, વ્યક્તિ અને આકૃતિ ઉભય તે નિરંજન નિરાકારથી જ થાય છે.”

“ સત્ય છે. પણ આપને તુલસીભક્તની મમતા વિદિત હશે.”

“ તે કઈ, ભૈયા ?”

સરસ્વતીચંદ્ર ઉત્સાહથી બોલ્યો: “આપ તો વિદ્વાન છો, પણ ભક્ત પણ છો, અને તુલસીદાસે કૃષ્ણચંદ્રને નમસ્કાર ન કર્યા ને કહ્યું કે,

“ભલી બની છબિ આજકી, બેશ બને ! હો નાથ,
“તુલસી–મસ્તક તબ નમે, ધનુષ્ય બાન લ્યો હાથ.”

યદુનંદનનો તિરસ્કાર થયો સમજી બાવાઓમાં કોપ સળગતો હતો તે આથી કાંઈક અટક્યો ને એટલામાં તેમની રગ વર્તી જનાર અને તેમનું ઔષધ જાણનાર વિષ્ણુદાસ તરત બોલી ઉઠ્યો:

“વાહ, વાહ, નવીનચંદ્રજી, બોત કીયા !” - બીજા મંડળ સામે જોઈ બોલ્યો; “દેખો ભૈયા, યહ પુરુષ તો શ્રી અલખકું પ્રાપ્ત હુવા હય – ઉસકુ તો અબ અલખ ઓર લખકા અભેદ દેખનેકા માત્ર બાકી હય; શ્રી તુલસીદાસજીસે નવીનચંદ્રજી શ્રેષ્ટ હુઆ; જો લખ અલખ હો કર દર્શન દેવે તો નવીનચંદ્રજી નમસ્કાર કરે. જો શ્રી કૃષ્ણચંદ્રજી શ્રી રામરૂપ હુવા તો શ્રી લખ અલખ હો જાય ઓ તો અપના ઉત્તમાધિકારીકા અધિકારીકી બાત હય – કેમ, વિહારપુરી, સાચું કે નહી ? "

“બહુત સત્ય, ગુરુજી ! ઓ તો ભક્તનકા ટેક હય.”

સર્વ ગોસાંઈમંડળ પ્રસન્ન થયું. સરસ્વતીચંદ્ર પણ પ્રસન્ન થયો ને મનમાં બોલ્યો:

“The man's pluck is equal to my wish. He has grasped my position and gracefully assisted me in extricating me from the perplexing conflict between my duty to my conscience and to such kind and gentle hosts as these. Far be it from me to speak a single syllable that will either be untrue for courtesy or for fear, or will happen to offend in the slightest degree the susceptiblities of