આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
" વળી,
- “ भीतभितः पुरा शत्रुर्मन्दमन्दं विसर्पति ।
- “ भूमौ प्रहेलया पश्चाज्जारहस्तोऽङ्गनास्विव ॥[૧]
“ઈંગ્રેજોને તો આ ક્રિયા આવડે જ છે, પણ તેમના પ્રત્યે આપણને
એ ક્રિયા આવડવાનો પ્રસંગ પણ આમ જ છે. આવડીને કાંઈ
આપણે તેની સાથે પ્હોંચી વળવાના નથી – પણ પ્રસંગ છે, આજ નહીં
ને સો વર્ષે શું થશે તેની સમજણ નથી – પણ તેવે કાળે પટા
રમતાં આવડતા હશે તે તરવાર વીંઝશે. એવાની સાથે પટા રમવાનો
લાભ મળે તે જ મહાલાભ છે.”
“મિત્રતા કરવી એટલે વિશ્વાસમાં લેવાવું એમ નથી. વિશ્વાસના પેટામાં અવિશ્વાસ રાખી જાગૃત ર્હેવું એ સર્વ રાજનીતિનું પ્રથમ પગલું છે.”
“ ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઈએ–
- “सुकृत्यं विष्णुगुप्तस्य मित्रात्पिर्भार्गवस्य च ।
- “बृहस्पतेरविश्वासो नीतिसन्धिस्त्रिधा स्थितः ॥[૪]
- ↑ ૧. શત્રુ અત્યંત ભય પામતો પામતો પ્રથમ ધીરે ધીરે ભૂમિપર પગલાંભરી પ્રવેશ કરે છે અને પછી ખોંખારાબંઘ ચાલે છે; જેમ જારપુરુષનો હાથસ્ત્રીએામાં કરે છે તેમ.
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી. - ↑ ૨. જે માણસ સદા અવિશ્વાસુ છે તેનો વિશ્વાસ કરવો નહીં, તેમવિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહી; વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છેઅને તે મૂળને પણ કાપી નાંખે છે.
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી. - ↑ ૩. દુર્બલ છતાં અવિશ્વાસુ હોય તો તે બલવાનોથી પણ બંધાતો નથીઅને વિશ્વાસુ પુરુષો બળવાલા હોય તો પણ દુર્બલ પુરુષોથી પણ તેઓતરત બંધાઈ જાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી. - ↑ ૪. વિષ્ણુગુપ્તનું સુકૃત્ય, ભાર્ગવની મિત્રપ્રાપ્તિ, અને બૃહસ્પતિનો અવિશ્વાસ, એ ત્રણ પ્રકારથી નીતિના સંધિની સ્થિતિ છે.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.