પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
[૧]“पुत्रमित्रकलत्रेषु सक्ता: सीदन्ति मानवा: ।
"सरःपङ्कार्णवे मग्ना वनगजा इव॥

“પરણે તે પડે ને બાળક તો કુમારી પણ પડે. તેનું કોઈ સ્વજન નથી. તેને તો સ્વજનની આશા પણ નિરાશા - ગુણીયલનો શોક ઓછો કરવા સ્વામીજી કાલ ક્‌હેતા હતા તે આજ સમજાયું કે - સ્વજન કોઈ સુખ આપનાર નથી !

[૨] “मन्वे मायेयमज्ञानं यत्सुखं स्वजनादपि ।
“निन्दाघवारणायालं निजच्छाया न कस्यचित् ।।

“શું પરણ્યા વિના નહીજ ચાલે ? તર્જની ઉંચી કરી ઓઠે મુકી. શાસ્ત્રમાં સંબંધમાત્રને દુ:ખકર ગણ્યો છે તે કાલ જ સાંભળ્યું !” છાતી પર હાથ મુકી દૃષ્ટિ મીંચી.

[૩]"यावतः कुरुते जन्तुः सम्बधान् मनसः प्रियान् ।
“तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशंङ्क्वः ।।

આંખ ઉઘાડી હથેલીની બેવડ કેડે મુકી, તેને ક્‌હેતી હોય તેમ જોઈ ર્‌હી. “બ્હેન! તું ગઈ તે સુખી થઈ ! હું રહી તે દુઃખી થઈ. “સ્વામીજી બોધ કરે છે, માતા સાંભળે છે, ને પિતા જાણે છે ! છતાં કુસુમને તો તે સર્વ ન જેવુંજ છે ને દીવો લેઈને કુવામાં પડવાનું છે!

“સ્વામીજીએ બરોબરજ કહ્યું કે,

[૪]“एक एव चरेन्नित्यम्
“कन्याया इय कङ्कणम् ॥

“હું સ્વામીજીને પગે પડી મનનું માગ્યું મ્હોંયે માગું તે નહી મળે ?


  1. ૧. સરોવરના પંક સાગરમાં જીર્ણ વનગજ સરી જાય એમ પુત્ર, મિત્ર અને સ્ત્રીમાં સક્ત થયેલાં માનવીઓ તેમાં કળી પડે છે.
  2. ૨. એમ જાણું છું કે, જે આ સ્વજનનું સુખ ક્‌હેવાય છે તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મનો તાપ ખોળવાને પોતાની છાયા બસ નથી થતી તેવું જ આ સુખ પણ તે છાયા જેવું છે.
  3. ૩. પોતાના મનગમતા જેટલા સંબંધ જન્તુ રચે છે એટલા શોકશંકુ એના હૃદયમાં ખણાય છે.
  4. ૪. કન્યાના કંકણ પેઠે એકલાં એક જ ચરવું.