પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦

અંતસુધી પ્રત્યક્ષ કરે છે અને ધૃતરાષ્ટ્ર પાસે પ્રત્યક્ષ કરાવે છે. He is, like the phonograph, an apparatus for recording and reporting the spiritual and the physical voices that fill all atmosphere in the State – like your journals and newspapers. He is the king's Binocle and Field-glass."

“બ્રાહ્મધર્મ પ્રકટ છે, પણ વૈશ્યકળા કોઈપણ પુસ્તકમાં નથી. માટે વૈશ્ય પ્રજાના ગુપ્ત મંત્ર સમજાવનાર વૈશ્યાપુત્ર યુયુત્સુને સ્વપુત્ર કરી ધૃતરાષ્ટ્ર પોતાની પાસે રાખે છે. પતિ કરતાં પત્ની વધારે દેખે તો अबला प्रबला થાય તે રાજતંત્રમાં ઉચિત નહી , માટે ગાન્ધારી અંધ પતિની જોડે અંધ થવા આંખે પાટા બાંધે છે. રાણીનું આ પતિવ્રત છે. રાજાના શરીરનો વંશ અજરામર રાખવાનું શતપુત્રવાળા ધૃતરાષ્ટને માથે છે. તેને સો પુત્રો માગેલા મળ્યા તે તેના ભાયાતો જ સમજવા. બાકી રાજા જાતે ગાંધારીને - એકપત્નીને - વરેલો. તે નિયમ આ રાજ્યમાં પળાય છે. સર્વ કૌરવભવનોમાં એકેક ભયાસન છે તેમાં તે ભવનના અધિષ્ઠાતાનું ભય જોવાય છે. ઘૃતરાષ્ટ વંશ વધારનાર છે તેને વત્સલતાનું ભય છે. દુર્યોધનની દુર્નીતિનું ભવિષ્ય તેના જન્મપ્રસંગે ધૃતરાષ્ટને જણાવવામાં આવ્યું હતું. દ્રૌપદીવસ્ત્રહરણ પ્રસંગે તેણે તે પુત્રની દ્રુષ્ટતા પ્રત્યક્ષ કરી. શ્રીકૃષ્ણ યુદ્ધપ્રસંગ અટકાવવા પાંડવો પાસેથી આવ્યા ત્યારે પણ તેમ જ થયું. ત્રણે પ્રસંગે જુદાજુદા મહાત્માઓયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે ત્હારા પુત્રનો નાશ કરવો અને કંઈ નહીં તો ત્યાગ તો કરવો જ એવો ત્હારો રાજધર્મ છે. પણ એકે પ્રસંગે વત્સલ પિતા તે ઉપદેશ માની શક્યો નહી. પાંડવપક્ષનો વિરોધ કરનાર દુષ્ટ પુત્રને શાસન કરવામાં જે પિતાની વત્સલતા આડે આવશે તે ધૃતરાષ્ટ્રની દુર્દશા પામશે એવો એ ભવનના ભયાસનને ઉદ્દેશ છે. તે દુર્દશાનાં બીજ ઉગતાં નષ્ટ કરવા મહારાજ પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રે ધર્મરાજ ઉપર કરેલી અસૂયાનું ભય આ વત્સલતાનું અંગ છે. હવેનાં ભવન શંકરશર્મા સમજાવશે.”

શંકર શર્મા - “બીજું દુર્યોધનભવન સામે દેખો છો. રાજશરીર ધૃતરાષ્ટ્ર; તેના પ્રથમ પુત્ર જેવો રાજનય તે દુર્યોધન અથવા સુયોધન છે. રાજાના શરીરને પ્રકૃતિપુરુષોમાં અને પ્રજામાં પ્રતિષ્ઠા આપનાર વસ્તુ રાજનય છે.

“दुरोदरच्छद्मजितां समीहते
“नयेन जेतुं जगतीं सुयोधनः ।

જ.