પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૯


“तद्य एवैतं लोकं ब्रह्मचर्येणानुविन्दन्ति तेषामेवैष ब्रह्मलोकस्तेषां सर्वेषु लोकेषु कामचारो भवति॥

"अथ यद्यज्ञ इत्याचक्षते ब्रह्मचर्येव तद्द्बचर्येण ह्येव यो ज्ञाता तं विन्दतेऽथ यदिष्टमित्याचक्षते बर्ह्मचर्यमेव तत ब्रह्मचर्येण ह्येवेष्टूवाऽऽत्मानमनुविन्दते ॥ अथ यत्सस्त्रायणमित्याचक्षते ब्रह्मचर्येव तद्द्रह्मचर्येण ह्येव सत आत्मनस्त्राणं विन्दतेऽथ यन्मौनमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्द्रह्मचर्येण ह्योवाऽऽत्मानमनुविद्य मनुते॥"

“આ યજ્ઞ, આ સત્ય, આ બ્રહ્મ, આ યજ્ઞચર્યા, આ સત્યચર્યા, આ બ્રહ્મચર્ય, ઉત્તમાધિકારી સાધુજનોમાં છે, ઉત્તમાધિકારીણી સાધ્વીયેામાં છે, આ દેહમાં છે, આ મઠમાં છે, આ સર્વમાં છે – એ પરમ અલક્ષ્ય પરાવર પ્રત્યક્ષાનુભવરૂપે સર્વ ઉત્તમાધિકારીયોને પ્રાપ્ત થાવ ! ઓં શાન્તિ !”-

વિષ્ણુદાસજીએ સાધુ સાધ્વીઓને ઉંચે હાથ કરી આ આશીર્વાદ આપી મૌન ધાર્યું. બ્હાર મન્દિરમાં શંખનાદ થયો તેની સાથે સર્વ મંડળ ઉઠ્યું. સઉની આગળ વિહારપુરી અને ચંદ્રાવલી સજોડે ચાલ્યાં. તેની પાછળ સાધ્વીઓનાં જોડકાં, કુમુદને આગળ કરી, ચાલ્યાં. તેમની પાછળ ચાર પાંચ હાથને છેટે વિષ્ણુદાસ ચાલતા હતા. તેમની પાછળ સરસ્વતીચંદ્ર, અને તેની પાછળ સાધુજનોનાં જોડકાં ચાલતાં હતાં. વિહારપુરી અને ચન્દ્રાવલી કંઈક ઉંચે પણ ધીર મન્દ મધુર સ્વરે हरिमींडे સ્તોત્ર ગાતાં હતાં અને સાધ્વીઓ મધુર ઝીણે સ્વરે ઝીલતી હતી. વિષ્ણુદાસ અને સાધુઓ મનમાં ગાતા ગાતા બોલ્યાવિના ચાલતા હતા. મન્દિરની ઓસરીનું દ્વાર આવ્યું ત્યાં સર્વ ઉભાં રહ્યાં અને સ્તોત્ર પુરું કર્યું. એાસરીમાં ચાલી વાડામાંથી અદૃશ્ય થયાં ત્યાં વિષ્ણુદાસના જયની બુમો પડી અને અંતે સર્વે પાસ સાધુઓ અને સાધ્વીઓ સર્વની સંગત બુમો પડી કે “નન્દકો નન્દન એક આનન્દ દેત હય !” શંખનાદ અને ઘંટાનાદ તેમ ભળ્યા, અને પળવાર ઉપર વિષ્ણુદાસે જે સ્થાને ગમ્ભીર ઉપદેશ કર્યો