- “અહો ઉદાર ઓ વ્હાલી !
- “અહો સુકુમારી ! ઉર ફાટી
- “ગયું ત્હારું, રહ્યું મ્હારું
- “બની દારુણ ગોઝારું !
“સંસારે કરાવેલા દુષ્ટ જનના પરામર્શથી આ સુન્દર પવિત્ર શરીર જેવું સત્વ દૂષિત થયું – તે દોષ પણ મ્હારો જ !"
- “શરીર ત્હારું, હૃદય મ્હારું,
- “કર્યું આ મ્હેં જ ગોઝારું !
"પણ ત્હેં તો પરસપરસંધટ્ટક ધર્મ સાચવ્યા અને ત્હારે પોતાને માટે સુભાગ્યરૂપ અને મ્હારા ભાગ્યને માટે શિક્ષારૂપ આ સ્થિતિને તું પામી – તું દુઃખની બેભાન થઈ, કામની અને સર્વ જગતની નિષ્કામ થઈ અને મ્હારે તેથી ઉલટું છે. અને તું-
- “મળી ત્યારે મળી આમ !
- “કર્યો ત્હેં ભસ્મવત્ કામ ."
“ કામ ! કામ ! શિવજી જેમ વિષધરની ધારાઓ જેવા સર્પને પોતાના જ શરીરની આશપાશ વીંટાવા દે છે અને મસ્તક ઉપર અમૃતમયી ગંગાને અને સુધાકર ચંદ્રને સ્થાન આપે છે તેમ કુમુદસુંદરીએ આ દુઃખવિષથી ભરેલા શરીરના સ્વામીને શરીર સોંપી દીધું અને અમૃતમય હૃદય મને સોંપ્યું હતું તે મ્હારામાં જ રાખ્યું !"
“સાધુ ધર્મ અને સંસારધર્મનો આ સૂક્ષ્મ પણ ક્લેશકર સંયોગ રાખવો એ તને જ આવડ્યું ! તું જ સતી તું જ શાણી ! ઉદારતા અને શુદ્ધિ પણ ત્હારી જ છે. પ્રિય કુમુદ ! પતિવ્રતાપણું ત્હારામાં જાયું પણ છે ને પરિપાક પામ્યું પણ છે ! - સતીપણું ત્હેં મહાતપથી – અત્યુગ્ર આંતરાગ્નિની જવાળાઓની વચ્ચે બેસીને જાયું છે ! જો તું સતી નહી અને પતિવ્રતા નહી – તો સંસારમાં કીયા મનુષ્યસત્વનો અંતરાત્મા પોતાનામાં ત્હારા જેવી શક્તિ પ્રત્યક્ષ કરે છે ! જે દુષ્ટ સંસાર તને નિન્દે છે તેને છોડી આપણે જે સાધુજનેામાં આવ્યાં છીયે ત્યાં આવા જ પ્રશ્નનો પુછાય છે !
- “અહો ઉદાર : ઓ વ્હાલી.
- “સતી તું શુદ્ધ ! ઓ શાણી !