આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- “અધરપુટ મન્મથે ભરીયું,
- “મૃદુપણું ગાલમાં વસીયું;
- “પ્રીતિજીવના વિના શબ એ !
- “અધર્મઋતુંવીશે વિષ એ !
“આ અધર પુટ અને ગાલ શબ તો નથી જ ! પણ તેની ધર્મઋતુ ગઈ ને હવે આવે એમ નથી. કુમુદ ! તું જાગ, ઉઠ. ને આ દુષ્ટ ખેાળાનો ત્યાગ કર ! આ શરીરના સ્થૂલ મર્મ હવે મ્હારા હૃદય ઉપર ચ્હડાઈ કરે છે !”
કુમુદસુંદરીની છાતીના ભાગ સામું એ જોઈ રહ્યો, ત્યાંથી દૃષ્ટિ બળાત્કારે ખેંચી લેઈ ચન્દ્ર ભણી ને સામા થાંભલા ભણી હઠ કરી વાળવાં લાગ્યો, પણ સર્વે બળાત્કારને હડસેલી દૃષ્ટિ તે પોતાને ઈષ્ટ સ્થાને જ વળવા લાગી. સરસ્વતીચંદ્ર હવે અકળાયો.
- “અતિરમણીય ઓ વેલી !
- “ઉરે મુજ વાસના રેલી !
- “ધડકતું ઉર તુજ ભાળું,
- “સમાવા ત્યાં જ લોભાઉં !
- “નથી અધિકાર જોવા જો,
- “હૃદયફળ ! માં જ લોભાવો.
- “કંઈ કંઈ લોભ સંસ્કાર
- “સુતા જાગો ! હવે જાવ !”
જરાક ધૈર્ય અને જાગૃતિ ધારી બોલ્યો.
- “અહો લોભાવતી વેલી !
- “હતી તું મ્હાલવી સ્હેલી.
- “કલાપી[૧]હવે હું ઉડું પાસે !
- “નમાવું ન બેસીને ડાળે !”
“અહા ! સ્મરણનું શુભ વિસ્મરણ થાય છે ત્યાં જ વિસ્મરણને સ્થાને દુષ્ટ થવા માંડે છે ! અરે ! આ વિડમ્બનામાંથી કેવી રીતે, મુક્ત રહું ?"
કુમુદસુંદરીએ વાળેલી સોડ આગળથી વસ્ત્ર છુટું પડી ફરફરતું હતું તે પાછું એની સોડમાં ઘાલતો ઘાલતો, એ પ્રવૃત્તિ પ્રસંગે મૂર્છામાં પણ
- ↑ ૧. મોર, કલાપ કરનાર.