પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૮
સરદાર વલ્લભભાઈ

પણ શકય હોય ત્યાં સુધી બાળકની આસપાસના વાતાવરણને ધ્યાનમાં | લઈને પસંદ કરેલા કોઈ મુખ્ય હાથઉદ્યોગની આસપાસ ગૂંથાવી જોઈએ.”

કૉંગ્રેસની પૂર્ણાહુતિ વખતે પ્રમુખશ્રીનો તથા પ્રતિનિધિઓનો આભાર માનતાં સરદારે આપેલા ભાષણમાંથી કેટલાક ભાગ આપી આ પ્રકરણ પૂરું કરીશું :

"અહીં કરેલી નગરરચના બાબત મારે બે વાત કહેવાની છે. આ નગરરચના કરવાવાળાઓની તારીફ મેં બહુ સાંભળી છે. આ નગરને એકાવન દરવાજાથી શણગારવામાં આવ્યું છે. એમાં જે ખૂબસૂરતી છે તે બંગાળના વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝની કૃતિ છે. એ એટલા સાદાઈથી રહે છે કે મોટા ચિત્રકાર હશે એમ કોઈ ઓળખી પણ ન શકે. ગુજરાતના ચિત્રકારોએ પણ અહીં કામ કરેલું છે. પણ એમનો તો એ ધર્મ હતો. એટલે મારે એમની તારીફ કરવાની હોય નહીં. આ નગરનો આખો નકશો સરહદ પ્રાંતના નિવૃત્ત ઇજનેર શ્રી રામદાસ ગુલાંટીએ બનાવેલ છે. હાલમાં તેઓ બાપુની પાસે રહે છે અને જોડા સીવવાનું કામ કરે છે. ફૈઝપુર કૉંગ્રેસની બધી રચના પણ એમણે જ કરી હતી. બાપુએ મને કહ્યું કે અહીંનું બધું કામ પાંચ હજાર રૂપિયામાં આપણે આટોપવું જોઈએ. મેં જવાબ આપ્યો કે એ કામ રામદાસજીને સોંપી દો. એ જે કાંઈ માગશે તે હું આપીશ. એ પ્રમાણે રામદાસજીએ જે વસ્તુઓ માગી તે મેં આપી છે. એમાં કેટલા પૈસા ખર્ચાયા તેનો હિસાબ કરીશું ત્યારે ખબર પડશે. આ જગ્યા પસંદ કરવા માટે પણ હું તો બાપુને અહીં લઈ આવ્યો હતો. આ જગ્યા ઉપર મોટું વિકટ જંગલ હતું. એમણે એ જંગલ પસંદ કર્યું. ફેઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે કૉંગ્રેસ માટે વિશાળ જમીન જોઈએ જ. એટલે અમે પાંચસો એકર જમીન લેવાનું નક્કી કર્યું. જમીન ત્રણ ગામની છે. તેમાં લગભગ બધી જેટલી જમીન મુસલમાનોની છે. જમીનમાલિકોએ અમારી પાસે કશું માગ્યું નથી. એમનો ઉપકાર માનવો જોઈએ. પણ ગુજરાતના કામ માટે ગુજરાતીઓ જમીન આપે તેમાં ઉપકાર શો માનવો ? ગાંધીજીએ કહ્યું કૉંગ્રેસનાં રસોડાંમાં ગાયનું જ ધીદૂધ, વાપરવું જોઇશે. ધી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી લાવ્યા અને દૂધ માટે અહીં પાંચસો ગાયો રાખી. એ અમારા પાંચસો પ્રતિનિધિઓ એવા છે કે આપણને કશી તકલીફ આપતા નથી, એ કશા ઠરાવ રજૂ કરતા નથી, સુધારો મૂકતા નથી, કે તે ઉપર ભાષણ કે ચર્ચા કરતા નથી. ઊલટું આપણને દૂધ પિવડાવે છે. બાપુનો બીજો હુકમ એ થયો કે બધા પ્રતિનિધિઓને હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીમાં દળેલ આટો ખવડાવવો જોઈશે. સેંકડો મજૂરો રાખીને અમે ચોખા ખંડાવ્યા અને આટો દળાવ્યો.

"આ જગલ, એક ગુજરાતી ભાઈએ પોતાનું ટ્રેકટર લાવીને બધું સાફ, સરખું કરી આપ્યું અને આસપાસના રસ્તા સુધાર્યા. સ્ટેશનથી અહીં આવવાની સડક ઉપર ધૂળ ન ઊડે માટે એટલી સડક ડામરની બનાવી. પછી સવાલ પાણીનો રહ્યો. રોજ અહીં બે લાખ માણસ ભેગુ થાય એમને માટે ચોખા પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ. મેં કહ્યું કે વૉટરવર્ક્સ્ બનાવવાનું ખર્ચ પચાસ હજાર રૂપિયા થશે. બાપુએ કહ્યું કે નદીનું પાણી પિવડાવીશું. મેં કહ્યું કે એ