પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬
સરદાર વલ્લભભાઈ

દિલ્હી વચ્ચે અને રાજકોટ અને મુંબઈ વચ્ચે ટેલિફોનની ઘંટડીઓ રણક્યાં કરી. તા. ૭મીએ સવારના પોણા અગિયાર વાગ્યે ના. વાઇસરૉયનો નીચે પ્રમાણેનો સંદેશો મિ. ગિબ્સન મારફતે ગાંધીજીને પહોંચાડવામાં આવ્યો :

“તમારો સંદેશો મને હમણાં જ મળ્યો. તે માટે તમારો ઘણો જ આભારી છું. હું તમારી સ્થિતિ સમજું છું.
“તમે જે કરો છો તે પરથી સ્પષ્ટ છે કે, આ પ્રકરણમાં વચનભંગ થયો છે એમ જે તમને લાગ્યું છે એ જ મુદ્દાની વાત છે. હું જોઈ શકું છું કે ઠાકોરસાહેબનું જાહેરનામું, જેની સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે આપેલા કાગળથી પાછળથી પૂરણી કરવામાં આવી હતી, તેના અર્થ વિષે શંકાને સારુ અવકાશ હોઈ શકે એમ છે. મને લાગે છે કે, એવી શંકાનો ઉકેલ કરવાનો સૌથી સરસ માર્ગ એ જ છે કે દેશના સૌથી વડા ન્યાયાધીશ પાસે તેનો અર્થ કરાવવો. તેથી એવી દરખાસ્ત કરું છું કે ઠાકોરસાહેબની સંમતિથી – અને તેઓ એવી સંમતિ આપવા તૈયાર છે એવા ખબર આવ્યા છે તેમનું ઉપર જણાવેલું જાહેરનામું તથા કાગળની રૂએ કમિટી કઈ રીતે રચાવી જોઈએ એ બાબત હિંદના વડા ન્યાયાધીશનો અભિપ્રાય લેવો. પછી તેમણે આપેલા નિર્ણય મુજબ કમિટી નીમવામાં આવે. વધુમાં એમ પણ ઠરાવવામાં આવે છે, જે જાહેરનામાને અનુસરીને એમણે ભલામણો કરવાની છે તેના, કે તેના કોઈ ભાગના અર્થ વિષે કમિટીના સભ્યો વચ્ચે જો કદી મતભેદ ઊભો થાય તો તે સવાલ પણ એ જ વડા ન્યાયાધીશ પાસે રજૂ કરવામાં આવે અને તેમનો નિર્ણય છેવટનો ગણવામાં આવે.
“ઠાકોરસાહેબ તરફથી પોતાના જાહેરનામામાં આપેલા વચનનો અમલ પોતે કરશે એવી ખોળાધરી સાથે અને મારા તરફથી પણ ઠાકોરસાહેબ પાસે અમલ કરાવવાને હું પૂરેપૂરો પ્રચત્ન કરીશ એવી ખેાળાધરી સાથે કરવામાં આવેલી આ વ્યવસ્થાથી તમારા મનમાં ઊભી થયેલી બધી બીક દૂર થશે એમ હું પૂરેપૂરું હું માનું છું. આ પ્રકરણમાં ન્યાય થાય એ સારુ હવે બધી સાવચેતી લેવાઈ છે, એવી લાગણીમાં તમે મારી જોડે સંમત થશો અને અનશન છોડી દઈ તમારા દેહને થઈ રહેલા કષ્ટમાંથી અને મિત્રોને થઈ રહેલી ચિંતામાંથી મુક્ત કરશો.
“હું તમને જણાવી ચૂક્યો છું કે તમને અહીં મળવા અને તમારી જોડે ચર્ચા કરવા હું બહુ ખુશી છે, જેથી રહીસહી શંકાઓ તેમ જ સંદેહ દૂર થઈ જાય.”

ગાંધીજીએ મિ. ગિબ્સનની મારફત નીચેનો સંદેશો વાઈરૉયને તારથી મોકલાવ્યો :

“આપે તાકીદે મોકલેલા જવાબ માટે આપનો ઓશિંગણ છું. જવાબ મને તાબડતોબ દસ પિસ્તાળીસ વાગ્યે પહોંચાડવામાં આવ્યો છે.
“આપના જવાબમાં, જોકે, સ્વાભાવિક રીતે ઘણી વસ્તુઓનો ઉલ્લેખ બાકી રહ્યો છે, છતાં અનશન છોડવાને સારુ અને જે લાખો લોકો મારા ઉપવાસની પાછળ