પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬
સરદાર વલ્લભભાઈ



“મળેલ ચુકાદો દરબાર વીરાવાળા સંતોષપૂર્વક માથે ચડાવે તેમ ન હતું. મારો માર્ગ સરળ કરી આપવાની સ્વાભાવિકપણે જ તેમની તૈયારી નહોતી. એટલે દરેક તકનો લાભ ઉઠાવી લાંબી કસે ધવડાવવાની નીતિ તેણે આદરી. ચુકાદાથી મારો માર્ગ સફળ થવાને બદલે, ઊલટો એ ચુકાદો જ મુસલમાનો તથા ભાયાતોના મારી સામેના રોષનું ભારે કારણ થઈ પડ્યો. અગાઉ અમે મિત્રભાવે મળીને વાટાધાટો કરી હતી. હવે મેં સ્વેચ્છાએ આપેલા વચનનો ભંગ કર્યાનો મારા ઉપર આરોપ મૂકવામાં આવે છે. મેં વચનભંગ કર્યો છે કે કેમ એ બાબત પણ વડા ન્યાયાધીશ પાસે નિર્ણયને સારુ રજૂ કરવાનું કહ્યું. મુસ્લિમ કાઉન્સિલ અને ગરાસિયા ઍસોસિયેશનનાં નિવેદનો મારી સામે પડ્યાં છે. ચુકાદાના લાભને છોડી દેવાનો નિર્ણય કર્યા બાદ એ બે નિવેદનોનો હવે મારે જવાબ આપવાપણું રહેતું નથી. મને નિસ્બત છે ત્યાં સુધી તો મુસ્લિમો અને ભાયાતોને ઠાકોરસાહેબ જે કંઈ આપવા ઇચ્છે તે તેઓ સુખેથી લે. પોતાના કેસ તૈયાર કરવાની તકલીફમાં મેં તેમને ઉતાર્યા તે બદલ હું તેમની માફી માગું છું. મારી નબળાઈને કારણે ના. વાઈસરૉયને પણ મેં નાહક તકલીફમાં નાખ્યા. તે બદલ મારે તેમની માફી માગવી રહી છે. વડા ન્યાયાધીશની પણ હું માફી માગું છું. કારણ મારે કારણે એમને જે પરિશ્રમ ઉઠાવવો પડ્યો તે મારામાં વધુ સમજણ હોત તો ઉઠાવવો પડત નહીંં. સૌથી વધારે તો હું ઠાકોરસાહેબની અને દરબાર વીરાવાળાની માફી માગું છું.
“દરબાર વીરાવાળાની બાબતમાં મારે એ પણ કબૂલ કરવું રહ્યું છે કે મારા સાથીઓની પેઠે મેંં પણ એમને વિષે બૂરા વિચારોને મારા અંતરમાં આવવા દીધા છે. એમની સામેના આરોપો ખરા છે કે નહીં એ હું અહીં ન વિચારું. એની ચર્ચા અત્યારે અસ્થાને છે. એટલું જ કહું કે એમના પ્રત્યે અહિંસાનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. મારી એ નામોશીનો એકરાર પણ હું કરી લઉં કે જેને બેવડી રમત કહી શકાય એવા આચરણનો પણ હું દોષી બન્યો છું. એક તરફથી ચુકાદાની તલવાર એમને માથે લટકતી રાખી અને બીજી તરફથી એમને રીઝવવાનો પ્રયત્ન કરી ઉદાર સુધારા બક્ષવાની તેઓ ઠાકોરસાહેબને સ્વેચ્છાએ સલાહ આપે એવી મેં આશા સેવી. હું કબૂલ કરું છું કે આવી રીત અહિંસાની સાથે સાવ અસંગત છે. તા. ૨૦મી એપ્રિલે મિ. ગિબ્સન જેની વાતચીત દરમ્યાન જ્યારે અચાનક પેલી ખેલદિલીવાળી દરખાસ્ત મને સૂઝી આવી અને મેં કરી ત્યારે મારી નબળાઈની મને ઝાંખી થઈ ખરી, પણ તે જ ઘડીએ ત્યાં ને ત્યાં એમ કરવાની મારી હિંંમત ન ચાલી કે મારે ચુકાદા સાથે કશી લેવાદેવા નથી રાખવી. ઊલટું મેં તો કહ્યું કે ઠાકોરસાહેબ પોતાની કમિટી નીમે અને તેનો હેવાલ પરિષદવાળા ચુકાદાની દૃષ્ટિએ તપાસે અને બંને વચ્ચે મતભેદ પડે તો તેઓ વડા ન્યાયાધીશ આગળ જઈ શકે.
“દરબાર વીરાવાળાએ આ દોષ ઓળખ્યો અને મારી દરખાસ્ત વાજબી રીતે નકારીને કહ્યું : ‘તમે ચુકાદાની તલવાર તો મારા માથા ઉપર લટકતી રાખો જ છો અને ઠાકોરસાહેબની કમિટી ઉપર અપીલની અદાલત બનવા માગો છો. જો એમ જ હોય તો તમે તમારું શેર માંસ જ ભલે કાપી કો ! વધુ નહીંં અને