પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૩
નવમી ઑગસ્ટ



જગતના સમવાયતંત્રની દિશામાં ભરવાનું આ અનિવાર્ચ પગલું ભરવા તૈયાર છે. બ્રિટિશ સરકાર પર થયેલા પ્રત્યાધાતો તથા વિદેશી પત્રોની ગેરરસ્તે દોરવાયેલી ટીકાઓ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, હિંદની સ્વતંત્રતાની સ્વત:સિદ્ધ માગણીનો પણ વિરોધ કરવામાં આવે છે. જોકે, ખાસ કરીને આજના જોખમને પહોંચી વળવા તથા હિંદ પોતાનું રક્ષણ કરી શકે એટલા માટે અને તેમની વસમી ધડીએ રશિયા તથા ચીનને સહાય કરી શકે એટલા માટે એ માગણી કરવામાં આવી છે. રશિયા અને ચીનની સ્વતંત્રતા અમૂલ્ય છે અને તે સાચવી રાખવી જ જોઈએ. એટલે તેના સંરક્ષણની બાબતમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઊભી ન કરવાને તેમ જ મિત્રરાજ્યોની સંરક્ષણશક્તિને કશી પણ હાનિ નહીં પહોંચાડવાને સમિતિ આતુર છે. પરંતુ હિંદ અને મિત્રરાષ્ટ્રો ઉપરનો ભય વધતો જાય છે. આ પરિસ્થિતિમાં નિષ્ક્રિયતા ચા તો પરદેશી હકૂમતની તાબેદારી એ હિંદને માટે અવનતિકારક અને પોતાનું રક્ષણ કરવાની તથા આક્રમણનો સામનો કરવાની શક્તિનો હ્રાસ કરનારાં છે, એટલું જ નહીં પણ એ વસ્તુ વધતા જતા જોખમને ટાળવામાં ઉપકારક નથી તેમ જ મિત્રરાજ્યોની પ્રજાને સહાયરૂપ પણ નથી. ઇંગ્લંડ તેમ જ મિત્રરાજ્યોને કૉંગ્રેસની કારોબારી સમિતિએ કરેલી હાર્દિક અપીલનો હજી સુધી જવાબ મળ્યો નથી તથા પરદેશમાં અને અનેક સ્થળોએ કરવામાં આવેલી ટીકાઓએ હિંદ તેમ જ દુનિયાની જરૂરિયાતની બાબતમાં અજ્ઞાન પ્રદર્શિત કર્યું છે. વળી કેટલીક વાર તો હિદની સ્વતંત્રતા સામે વિરોધ પણ દર્શાવાયો છે. આ વસ્તુ એની પાછળ રહેલી પ્રભુત્વ ભોગવવાની અને પોતાની શ્રેષ્ઠતાની મનોદશાની દ્યોતક છે. જે પ્રજાને પોતાના સામર્થ્યની તથા પોતાના ધ્યેચના ન્યાયીપણાની પ્રતીતિ થઈ છે તે આ વસ્તુ બરદાસ્ત નહીં કરે.

" આ છેવટની ધડીએ દુનિયાની મુક્તિના હિતને ખાતર, આ મહાસમિતિ બ્રિટનને અને સંયુક્ત રાજ્યોને ફરી એક વાર આ અપીલ કરે છે. પરંતુ પોતાના પર અમલ બજાવતી અને પોતાના તથા માનવતાના હિતને માટે કાર્ય કરવામાં અટકાવ નાખતી સામ્રાજ્યવાદી અને આપખુદ સરકારની સામે પોતાના સંક૯પને પાર પાડવાને ઉત્સાહિત થયેલી પ્રજાને હવે વધારે વખત રોકી રાખવાનું સમિતિને વાસ્તવિક કારણ દેખાતું નથી. તેથી મુક્તિ અને સ્વતંત્રતાના, બીજાને સુપરત ન કરી શકાય તેવા પોતાના હક્કની સિદ્ધિને માટે, મોટામાં મોટા પાચા પર અહિંસાથી ચાલતી લડતને મંજૂરી આપવાનું સમિતિ ઠરાવે છે. એ રીતે શાંતિભરી લડતનાં છેલ્લાં પચીસ વરસ દરમ્યાન મેળવેલી સર્વ અહિંસક તાકાત દેશ કામે લગાડી શકશે. આ પ્રકારની લડતનું સુકાન ગાંધીજી લે એ અનિવાર્ચ છે. તેથી લડતની આગેવાની લઈને તેને અંગે જે પગલાં લેવાનાં હોય તેમાં પ્રજાને દોરવાને સમિતિ તેમને વિનંતી કરે છે.

“ સમિતિ હિંદના લોકોને તેમને માથે આવી પડે તે કષ્ટો અને હાડમારીઓનો હિંમત અને સહનશીલતાથી સામનો કરવાની, ગાંધીજીની આગેવાની હેઠળ એકસંપથી કાર્ય કરવાની અને હિદની સ્વતંત્રતાના શિસ્તબદ્ધ સૈનિકોની માફક તેમની સૂચનાઓને અનુસરવાની અપીલ કરે છે. તેમણે એ વાત ચાદ રાખવાની છે કે અહિંસા આ લડતનો પાયો છે. ગાંધીજીની સૂચનાઓ બહાર