પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
૮૫
 

________________

4/25/2021 '-૧૫, વસ્તુના વાજબી ભાવ કેટલી છે. આ એક જાતની હરીફાઈમાં વસ્તુઓનું સાચું મૂલ્ય શું છે તે તરફ કેાઈ જોતું નથી. વરતુનું સાચું મૂલ્ય તો એ હેઈ શકે કે એ સમાજને ઉપયોગી હોવી જોઈએ અને એ ઉત્પન્ન કરતાં મજૂરને જેટલા દિવસો લાગે તેટલા દિવસે તેનું ગુજરાન ચાલી શકવું જોઈએ. આવું ત્યાં બની શકે જ્યાં ઉત્પાદક પોતે જ વસ્તુને વેચનાર હોય. પણ મોટાં કારખાનાંમાં વસ્તુનો બનાવનાર એ કાંઈ વસ્તુને વેચનાર હોતો નથી. વળી કામના એટલા બધા પેટા વિભાગ હોય છે કે અમુક માણસ વસ્તુને બનાવનાર છે એમ પણ કહી શકાતું નથી. ત્યાં તે આપણે એમ જ કહી શકીએ કે દરેક મજૂરને મજૂરીના વાજબી દર મળવા જોઈએ. આવાં કારખાનાંઓમાં મજાર, મુકાદમ, દરેક ખાતા માટે જવાબદાર માણસ તથા મેનેજર એવા વિભાગ હોય છે. અને એ દરેક માણસના પગારમાં બહુ મેટાં અંતર હોય છે. સર્વોદયની દૃષ્ટિએ પગારના આવી તફાવત ઈષ્ટ નથી. અહીં આપણે ઓછામાં ઓછી કમાણી અને વધારેમાં વધારે કમાણીને લગતા જે નિયમ પાછલા પ્રકરણમાં આવ્યો છે તે લાગુ પાડવું જોઈએ. આમ કહેવું સહેલું છે, પણ સમાજમાં અત્યારે ચાલતી અર્થવ્યવસ્થા અને ચાલતાં કિંમતનાં ધરણા શી રીતે બદલવાં એ એક મોટો સવાલ છે. આજે નાના ખેડૂત, પશુપાલકો, ગામડાના કારીગરો જેઓ નાના પાયા ઉપર ઉત્પાદન કરે છે તેમને તેઓએ પેદા કરેલી વસ્તુઓની વાજબી કિંમત મળતી નથી. પરદેશમાં અથવા મોટાં શહેરોમાં મુખ્ય મુખ્ય અનાજોના ભાવ તથા રૂના ભાવ નક્કી થાય છે. એ નકકી કરતી વખતે એના ઉત્પાદકોને વિચાર કરવામાં આવતા નથી, પણ એ વસ્તુ બજારમાં કેટલા જથામાં મળી શકે એમ છે તેને જ વિચાર કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે હરીફાઈનું ધોરણ રાખીને જ વિચાર કરવામાં આવે છે, આ હરીફાઈમાંથી નીકળી જવાને એક ધોરી માર્ગ અમે એ સૂચવ્યે છે, કે ગામડાંના Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 35/50