પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
सासुवहुनी लढाई
 

'કાગ વાહાલું કુંભ જળ, પટલ વાહાલી જાતર;
બ્રાહ્મણ વાહાલા લાડવા, ને મીયા વાહાલી પાતર.”

એ વિશે હું તમને એક વાત કહું તે સાંભળો. “ચાર આળસુ જુવાનીઆ હતા, તેમણે એક દહાડો વિચાર કર્યો કે આપણે પરદેશ રળવા જઇએ. એક બોલ્યો અલ્યાભાઈ આપણને એકે ધંધો નથી આવડતો, પરદેશ જઇને શું કરીશું. એ સુણી બધા વિચારમાં પડ્યા. અંતે એમ ઠેરવ્યું કે કવીશ્વર કહેવડાવી કોઈ રાજાને જાચવો. એમાંના બે બ્રાહ્મણ હતા ને બે ભાટ હતા. ચાલ્યા ચાલ્યા જાય છે એવામાં એક નગર આવ્યું. ગામ બહાર ધરમશાળા હતી તેમાં રાત્રે પડી રહ્યા; મોટા પરોઢીઆમાં ઉઠી મારગમાંથી જનારા લોકને પુછ્યું ભાઈ આ શહેરનું નામ શું, ને અહીં રાજા કોણ છે ? તેમને જવાબ મળ્યો કે મણીપુર નગરનું નામ છે ને અમરસિંગ રાજા રાજ કરે છે. ચારે જણ મનસુબો કરવા લાગ્યા કે દરબારમાં જઈને બોલવું શું. ચારે અભણ હતા. એક બોલ્યો અલ્યા બેસો હું ઓલી નદીએ જઈ આવું. નદીકાંઠે જઈને ઊભો વિચાર કરે છે. ઝાડોમાં અનેક જાતનાં પક્ષી કબલબલ કરે છે. તે સાંભળી પાછો ફર્યો, ને પોતાના સોબતીઓને કહે મને જડ્યું, પંખેરા કલબલ કરે છે તે હું કહીશ. એ સાંભળી બીજો નદીતીરે ગયો. તેણે એક બગલાને માંછલું તાકતો જોયો. પછી ત્રીજો ગયો તેણે તે બંગલાને છબલઈને પાણીમાં ચાંચ મારતો દીઠો. ચોથો કહે મારે નદી કિનારે નથી જવું, હીંડો ગામમાં જઈએ. ગામમાં પેસતાં એક વાણીઓ સામો મળ્યો. તે હાથમાં રૂપાનો લોટો લઈ દીશાએ જતો હતો. પેલે ચોથે દરવાનને પુછ્યું મિયાં એ કોણ દરવાન કહે એ તો રાજાનો પરધાન ભાનુશા છે.

પુછતા પુછતા રાજમંદિરે ગયા. રાજા ઓટલે બેસી દાતણ કરતો હતો તેને જઈ આશીરવાદ દીધો. રાજાએ પુછ્યું તમે કોણ છો તેમણે કહ્યું અમે કવીશ્વર છીએ મહારાજ. રાજા કહે કવિતા બોલો. પેલા કહે અમે બોલીએ તે આપ લખી લ્યો. રાજાએ કાગળ કલમ, ને દુવાત મંગાવ્યાં. એક કહે “કલબલ કલબલ કરતે હૈ;' બીજો બોલ્યો 'ઊંચી ડોક કર દેખતે હૈ;' ત્રીજો કહે 'છબ લઇને છબાઈ’, ચોથો કહે “ભાનુશારે ભાનુશા. રાજાએ ચારેના બોલ મોટે અક્ષરે એક કાગળમાં લખી તે કાગળ એક ચોકઠામાં ચોડી પોતાના સેજા મંદિરમાં મેલાવ્યો. પેલા કવીશ્વરોને દરબારને ઉતારે મોકલી સીધું ચાલતું કરવાનો હુકમ કર્યો.

પ્રધાન ભાનુશાને રતનશા નામે દીકરો હતો. તે ભણી ગણીને તઈઆર થયો હતો. તેણે બાપને કહ્યું હવે મને રાજ કારભારમાં દાખલ કરો. ભાનુશા