પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સાઠીનૂં વાઙ્ગમય.

સ્નેહીના સમાગમે અંતર જે પ્રફુલ્લિત થાય છે, તેનું આથી સુંદરતર ચિત્ર કયું હશે ? હવે વેલમાં એકાવળ હાર ભરાતાં પાછું વાળી જોતી ઉર્વશીનું દૃશ્ય જોઈએ.

(પુરૂo સ્વગત) અહો ગિરિના શિખરપરની વેલી !

( માલ્ય ભારિણી. )

કર્યું તેં પ્રિય સ્વર્ગ સુંદરીને, અટકાવી ક્ષણ વિઘ્ન આચરીને;
અરધું મુખ પાછું વાળી મીઠી, દૃગ વાંકી થકી જોતી જેથી દીઠી.

આ ઉજ્વળ રસનું ચટકું જુઓ ને ભભકભર્યાં मालतीमाधवમાંનાં રંગનાં ફૂंડે કૂડાં જુઓ. કાલીદાસ જે અસર ચાર લીંટીથી કરે છે તે भवभूति પાનાં ભરીને પણ કરી શકતો નથી.

હવે વનમાળીની સહૃદયતાની પિછાણ કંઈક કરીએ. મુર્છાવસ્થ ઉર્વશીનો હૃદય કંપ વર્ણવતી ગાથા લો.

સુતનુ તણા કુસુમ સમા કુમળા ઉરનો હજી ન કંપ સમે
જોને, હરિચંદનનાં સ્તન મધ્યે ઉચ્છવસે કુસુમે.

અહિં અર્થ તો મૂળના પ્રતિબિંબ રૂપ હોવાથી રમણીયજ છે. એમાં જે કાંઈ ખુબી સમાયલી છે, તેનું ભાન મહાકવિ કાલિદાસને છે. પણ તે અર્થ ગુર્જરી વાણીમાં ઉતારતાં ગાથાની પદ્યરચનામાં જ હૃદયના ધબકારાનું ભાન કરાવતો થડકો આવેલો જોઇએ છીએ તેનો યશ તો વનમાળીને છે. આવી જ સૂચક સંવાદી પદ્યરચનાનો બીજો દૃષ્ટાંત નીચેની ગાથા છે.

રાગાંકુર રૂપ રોમે અંકિત આ અડક્યું અંગ મુજ સ્હેજે;
રથના અથડાવાથી મૃગાક્ષીના અંગ શું આજે.

આમાં રથનાં ચક્રનો અથડાટ ઉત્તરાર્ધ વાંચવાની સાથે વાંચનાર આપોઆપ અનુભવશે. વર્ણરચનાની આ વ્યંજક શક્તિ વનમાળીના આ અનુવાદમાં જ સ્ફૂરે છે. વનમાળીની કળાનું એક વધારે ઉદાહરણ આપી અમે આમ પ્રસંગો આપતા અટકીશું. એ ઉદાહરણ ચિત્રરથના પ્રવેશનો પ્રસંગ છે, જે નીચે આપીએ છીએ.

‘( સૂત) આયુષ્માન ! પૂર્વદિશામાં મહાન વેગયુક્ત