પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭


હવે તે છેડાગાંઠ બંધાઇ ચુકી તે કોઇથી પણ મિથ્યા થનાર નથી, સમજ્યા ?”

પણ બંને જણ, હજારો ગાળો દેતા ઘરમાંથી બહાર નિકળી ફરીયાદ કરવાને દોડ્યા ગયા.



પ્રકરણ ૧૪ મું.
ખુલાસો.
[૧]*॥ किमपि मनसि सम्मोहो तदाबलवानभृत ॥

રાત્રીના લગ્નની ધામધુમ પુરી થઈ ગઈ, ને સૌ પોતપોતાને ઘેર વિદાય થયા ત્યારે મધુરિમા પણ પોતાને ઘેર આવી. આ લગ્નમાં તેણે મુખ્ય ભાગ લીધો હતો, પણ તેના અંતરમાં અથાક ઉદ્વેગ થતો હતો કે જે સત્ય વાત પોતાના પતિને કહેવાની હતી તે કહી નહીં, છતાં તેણે પોતાના ભાઇના લગ્નમાં સારી રીતે કામકાજ કીધું હતું. તેનોજ સર્વે કારભાર હતો, ને તેનેજ આ લગ્ન થવાથી સાથી વધારે હર્ષ થયો હતો.


  1. * *મનમાં સંમોહ વ્યાપે ત્યારે તે બળવાન થાય છે.