આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જય સોમનાથ
દીકરાએ તો દેશમાં ડંકો દીધો.
બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો.
સોરઠ જિતાયું ને એ ત્રાસ ટળ્યો ! બધે કડક બંદોબસ્ત કર્યો.
દીકરાએ બાપથી સવાયું નામ કાઢ્યું !
કઈ માતાને દીકરાનાં પરાક્રમથી પોરસ ન ચઢે ! માતા મીનળદેવી મનમાં ખૂબ હરખાયાં કરે.
મીનલદેવીના મનમાં ઘણા વખતથી સોરઠ જોવાની ઇચ્છા હતી; દ્વારકાધીશનું દેરું જુવારવાની ભાવના હતી; સાગરકાંઠો નિહાળવાની આકાંક્ષા હતી; તલવારની ધાર સરખી તેજસ્વી સોરઠિયાણીઓને જોવાની ઇચ્છા હતી.
ગીરના વંકા ડુંગરા અને સેંજળ ઝરણામાં પાણી પીતા સાવજ તો એની કલ્પનામાં હમેશાં રમતા.
૬૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ