પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪:સ્નેહસૃષ્ટિ
 

ને ?’

‘હા; જરૂર.’

‘તો પછી... મારી પ્રેમ કરવાની સ્વતંત્રતામાં તું વચ્ચે કેમ આવી, શકે?’

‘પરંતુ એમાં તો મારો પ્રશ્ન પણ આવે ને ?’

‘તને ફાવતું ન હોય તો તું પ્રેમ ન કરીશ... પરંતુ મારા હક ઉપર કોઈ તરાપ મારી શકશે નહિ.’

‘હું પ્રેમની ના પાડ્યા કરું.. અને તું મને પ્રેમ કર્યા કરે એમ ?’

‘હવે એ વાત જ ભૂલી જા.. મારું ઘર પાસે આવે છે... અને અંધારું પણ થઈ ચૂક્યું છે... હું મારે રસ્તે અને તું તારે રસ્તે.... પરંતુ એ રસ્તામાં કદી કદી આપણે મળીશું ખરાં જ....’

‘ક્યારે ?’

‘એક અઠવાડિયામાં. અમારો નાટ્યપ્રયોગ તારે જોવો જ પડશે ને ?...બે વખત... રીહર્સલ અને પ્રયોગ...’

‘હમણાં “રીહર્સલ” તો ચાલે છે ને ?’

‘જીવનને “રીહર્સલ” માનીને જ ચાલજે. નાટક સાચું પડે ત્યારે ખરું.’

‘શ્રીલતા ! તુંયે કોઈ મહાન ફિલસૂફ જેવું બોલે છે !’

‘સ્ત્રી એટલે કવિતા જ માત્ર નહિ...સ્ત્રી એટલે ફિલસૂફી પણ ખરી જ. બાય. બાય... ધ્યાનમાં રાખજે. તારે માથે મારા પ્રેમઅભિનયનું જોખમ છે ખરું !’ કહી હસી શ્રીલતાએ ગાડીમાંથી ઊતરી પોતાના મકાન તરફનો માર્ગ લીધો, અને સુરેન્દ્રને લેઈ ગાડી આગળ ચાલી.

ચાલતે ચાલતે કોણ જાણે કેમ પણ સુરેન્દ્રને જ્યોત્સ્ના યાદ આવી. સુરેન્દ્ર સાથે એ આજ બોલી પણ ન હતી અને સુરેન્દ્રને પોતાની સાથે કારમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું ન હતું !

શા માટે એ હવે એને આમંત્રણ આપે ?

ત્યારે.... આ નવી રોજિંદા પગારની નોકરી પણ એણે જ અપાવી લાગે છે, એ શું? એ દયાભાવના કે પ્રેમ ? એક પુરુષને જ્યોત્સ્નાએ દયા આપી. બીજાને પ્રેમ આપ્યો ! દયા ઉપર જિવાય? પ્રેમ ઉપર જિવાય ? કે બન્ને ઉપર ? સુરેન્દ્રને નહોતી જોઈતી દયા કે નહોતો જોઈતો પ્રેમ !

ત્યારે શા માટે એને જ્યોત્સ્નાના વિચાર આવવા જોઈએ ? મધુકર