પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિનાકી નજીક આવ્યો; પૂછ્યું :"કવિરાજ, તમે તો બીતા નથી ને!"

"બીઉ કોનાથી? બીવા જેવું કાંઈ રિયું જ નથી ને દુનિયામાં!"

"તો મને સમાચાર દેશો?"

"કોના?"

"લખમણ બહારવટિયાના અને ભગિની જોગણના."

"શું કરીશ?"

"ત્યાં જઈશ."

"મારા આ દુહા હાથો હાથ દઈશ."

"જરૂર."


27. બાપુજીનું તત્ત્વજ્ઞાન

ત્યારે એ લ્યો આ મારો ખરડો.” એમાં કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેમાં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં.

“કે’જો લખમણ બા’રવાટિયાને –“ મીરનો અવાજ અષાઢના મોરલાની માફક ગહેક્યો : “કે’જો કે કવિ મોટી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે –

મીતર કીજે મંગણાં; અવરામ આળપંપાળ;
જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર.

“તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, ફણા મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ! મૂવા પછી તને કોઈ નહિ ગાય.”

“પણ મને એ ક્યાં મળશે?” પિનાકીએ માન્યું કે બહારવટિયાના મુકામ પર તો કોઈ સીધી સડક જતી હશે.

૧૨૬
સોરઠ તારાં વહેતાં પાણી