પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તા પીછ ટોપી આવસી બહુ
અમલ કલમ ચલાવસી....

વગેરે વગેરે વિગતો સાચી પડતી આવે છે, માટે નવો રાજપલટો થયા વિના રહેવાનો નથી. પૃથુરાજ રાસામાં એમ લખ્યું છે!

એવી લોકધારણાએ વાતાવરણને ઘેર્યું હતું. ત્યારે સુરેન્દ્રદેવજીના બેડીગામ ખાતેના બંગલામાં સુંદરપુરના ઠાકોર એક છૂપી મસલત કરી રહ્યા હતા. બરકંદાજીમાં જેની રાણીઓ, બહેનો ને પુત્રીઓ પણ બાહોશી ધરાવતી હતી, બહારવટિયાને છુપાવવાનો સંદેહ-ડોળો જેના પર એજન્સી સરકાર ઠેરવી રહી હતી, તે આ ઠાકોર હતા. તેમણે વાતનો પ્રારંભ કર્યો: "રાજપલટો તો આવ્યો સમજો, સુરેન્દ્રદેવજી!"

"હા! મુંબઈને કિનારે ઊતર્યો કે શું?"

"મશ્કરીની વાત નથી. મશ્કરીનો વખત પણ નથી."

"આપણને ઠાકોરોને મશ્કરી સિવાયનો બીજો સમય કેવો!"

"હું કહું તે એક વાર સાંભળી લેશો? પછી હસી કાઢજો."

"સંભળાવો."

"મારા ભત્રીજા કિશોરસિંહ લડાઇમાં ગયા છે. ત્યાંથી છૂપો કાગળ છે : મિત્ર રાજ્યોના છૂંદા થવાને વાર નથી."

"તેથી શું? આપણે તો જે આવશે તેનો દરબાર ભરી રાજાવેશ ભજવીશું, ને આજ સુધી સિંહ-ઘોડાનાં અંગ્રેજી મોરવાળા ચાંદરડા પહેરતા તે હવે પછી ગરુડ-મૉરાનાં જર્મન ચગદાં છાતીએ લગાવીશું ને જર્મન પોલિટિકલ એજન્ટને ગમશે તેવા શણગાર સજીશું."

"એ ઠીક વાત છે. એ વિના તો છૂટકો નથી, પણ જર્મનો આવે ત્યારે એની સત્તા આપણને કેવી સ્થિતિમાં માન્ય રાખશે?"

"કેવી?"

"આપણે જેવી સ્થિતિ તૈયાર રાખી હશે તેવી."

"એટલે?"

"એટલે એમ કે તમારા કડીબેડીના તાલુકામાં આજે બાજુનાં પચીસ ગામડાં દબાવી દઈને તમે બેસી જાઓ, તો નવી રાજસત્તા તમારો એ કબજો

૧૩૬
સોરઠ તારાં વહેતાં પાણી