પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાવ દોડો; મકન ગામોટને કહીએ કે ઉતારે પાણીબાણી ભરી સીધુંસામાન લઈ આવી ઝટ રસોઈનો આદર કરો, ને લાડવા કરી નાખે, હો કે!"

મહીપતરામ જમાદારે જાણી લીધું કે હજુ ઉતારે પાણીપગરણ પણ પહોંચ્યાં નથી.

"ના, દરબાર, એ બધું પછી. પ્રથમ તો અમારી દીકરી અંતકાળ છે. તેની સારવાર કરી જોવી છે. રસોઈને માટે માફ રાખો."


6. સિપારણ

વખતે દૂર એક ખૂણામાં ગામઝાંપાની ડેલી ઉપર ઊભેલા આદમીએ ધીરે ધીરે અમલદાર તરફ પગલાં ભર્યાં. એના ખભા પર દેશી બંદૂક હતી. એનું બદન ખુલ્લું હતું, માથા પર પાઘડી હતી, ને કમ્મરે કાછડે હતી.

એણે નવા અમલદારને સાદી ઢબે રામરામ કર્યા.

"દીકરીને બહુ કોશીર છે? અંતકાળ છે?" દરબાર નામે ઓળખાયેલા કાઠી અમરા પટગરે વિસ્મય બતાવ્યું. "ત્યારે - માળું શું થાય?" પટગર વિમાસણમાં પડ્યા.

નવા આવનારે વિવકવિધિ કર્યા વગર જ પૂછ્યું : "કોને કોશીર છે?"

ગાડાખેડૂએ એની બાજુમાં ચડીને આખી વાત સમજાવી.

દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા : "દાક્તર તેડાવવા ઘોડું મોકલશું?" ક્યું ઘોડું મોકલીએ તો ઠીક? રોઝડો તો જાણે કે પછાડે એવો છે ને -"

"ગાડાં આપણે ફળિયે હાંકી જાશું?" નવા આવનાર બંદૂકધારીએ ટૂંકો સવાલ કર્યો.

"કેમ? તમે કોણ?" અમલદારે પૂછ્યું.

"શેઠ છે આંહીના." દરબારે ટૂંકું પતાવ્યું.

"મારી ઓળખાણ પછી આપીશ. હમણાં બાઈની બીમારીનો તો ઉપાય

૨૧
સોરઠ તારાં વહેતાં પાણી