પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૪૧
 

મીયાણા વાલા મેાવરનું બારવટું કોઈ રાજ તરફનાં અન્યાયમાંથી ઉભું ન્હોતુ થયું, પણ ઓરતોની લંપટતામાંથી જ પરિણમ્યું હતું. વાલો ચોરીઓ કરતો, અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠુંઠો થયો હતો એ વાત પણ ચોકસ છે.