પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮


અરજી સુણતાં મુખે સાહેબ બોલીઆ, એમ,

જમીં આસમાન બીચે કાબા કહાં જાય !

[કોટ છોડીને દક્ષિણીનો કારકૂન (વહીવટદાર) ભાગ્યો, સાહેબ પાસે ફરીઆદી સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યો કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે ?]

એ ઢબે રણ-ગીત લંબાયું. ઘણું લખાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા. લોકગીતોમાં રહેલા details ના તત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દ્દષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન જ નહોતું. કેવળ નાદની ને અમૂક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવું હતું.

પ્રશ્ન ઉઠે છે : શું આ કવિતા અત:કરણની પ્રેરણામાંથી ઉઠેલી ? કે ફક્ત દ્રવ્યલાલસામાંથી ? બહારવટીઆનાં નિર્બલ તત્વોને ન સ્પર્શતા માત્ર શુરાતન ને ટેક પર શબ્દના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો નાથબાવાઓ કે કાફીગીરો - એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઇએ : આવો મત ઘણાનો છે. ઘણીવાર અત્યુક્તિઓના ઓધ ઠલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એજ વલે થએલી. અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યનાં ગુણગાન કરતી કવિતાઓ એક જ પંથ પર પગલા દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ.

છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિએાને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયા આ લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય ઝીંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછળાનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :

Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making: it was either the bondage: of convention or the rule of the rich, They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comfort- The sleek sensual