પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
૧૯
 


“તો એણે મરવું'તું.”

હા, એણે મરવું'તું. પણ એને મરતાં આવડ્યું નહિ. આખી ચારણ કોમે એને ફટકાર દીધો.

“તમે મહીયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ?”

ઉજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મેાતને શી રીતે ભેટાય છે. અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં ? કડવાશ કેવી ? માનવી બિચારા કોણ માત્ર ? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય?” ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.

“પછી રાજને માથે શું થયું ?”

અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી. સરકારનું કમીશન બેઠું. કૈંક રમત રમાણી. નવાબ ખા. બ. સાલેહ હિંદી અને બાપાલાલ ભાઈનો કારભાર તુટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામો કમી થઈ, ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકુમત હેઠળ લીધા. અમારે રાજને રૂા. ૫૭૮૦ ખરચ ભાગે આપવા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જુનાગઢ રાજ્યની હકુમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ ભાઈ ! હાલો હવે, ચંદ્રમા ચડ્યો છે. શુરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઉતરી જઈએ.”