પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.


માટે હવે તે બહુજ આતુર થઈ રહ્યો.

ઈશ્વરને જેણે જોયો હોય એવા સમર્થ ગુરૂને શોધવાનો તેણે ઠરાવ કર્યો. હવે સ્થળે સ્થળે તે આથડવા લાગ્યો.

બ્રહ્મોસમાજનો તે સભાસદ થયો. આ વખતે બંગાળામાં મહાશય દેવેન્દ્રનાથ ઠાકુર (કવિવર રવિંદ્રનાથ ઠાકુરના પિતા) એક મોટા ધાર્મિક પુરૂષ ગણાતા હતા. બ્રહ્મસમાજવાળાઓ તેમને મહર્ષિ કહેતા. તેઓ એક ધનાઢ્ય પુરૂષ હતા, પણ પાછળથી લક્ષ્મીમાં સુખ અને શાશ્વતપણું નહિં જોવાથી અત્યંત ધાર્મિક બની વાસ્તવ સત્ય અને શાંતિને ખોળી રહ્યા હતા. ગામથી દૂર એકાંત સ્થળમાં રહીને રોજ તેઓ ઈશ્વરનું ધ્યાન ધરતા હતા. કેશવચંદ્રસેન જેવા અસામાન્ય પુરૂષને પણ ધાર્મિક ઉપદેશ કરનાર આ મહર્ષિ જ હતા. નરેન્દ્ર તેમની પાસે ગયો. મહર્ષિ ધ્યાનમાં બેઠા હતા. મહર્ષિએ તેને ધ્યાનની ક્રિયા હમેશ કરવાનું કહ્યું. યોગ શિખવવાને મહર્ષિએ પોતાને ઘેર કેટલાક છોકરાઓનો વર્ગ બનાવ્યો હતો તે વર્ગમાં બેસીને સૌ ધ્યાન ધરતા અને પોતાનો અનુભવ એક બીજાને કહેતા. નરેન્દ્ર એ વર્ગમાં બેઠો અને આંખ ઉપરની બે ભ્રમરોની વચ્ચેનો બરાબર પ્રદેશ જે જ્ઞાનચક્ષુનું સ્થાન કહેવાય છે તેમાં પોતાનું ચિત્ત સ્થિર કરવા લાગ્યો. પ્રથમ તેને એક અસ્થિર પ્રકાશ જણાવા લાગ્યો. પછીથી તે પ્રકાશ સ્થિર થઈ રહેલો જણાયો. આ સ્થિર પ્રકાશમાંથી અનેક ચળકતા રંગ કિરણરૂપે પથરાતા જણાયા. અને કોઈ નવીન અલૌકિક પ્રદેશમાં તેનું મન ઉડવા માંડ્યું. પરંતુ થોડો વખત એવું રહ્યા પછી પાછી તેની એકાગ્ર વૃત્તિ નષ્ટ થઈ જતી અને મન ઐહિક પદાર્થો તરફ ખેચાઈ જતું. મહર્ષિ નરેન્દ્રને ઉત્તેજન આપવા લાગ્યા અને તેની શક્તિનાં વખાણ કરવા લાગ્યા. પણ “જો ઈશ્વર હોય તો મારે તેને અવશ્ય જોવોજ જોઈએ” આ વિચાર રાતદિવસ નરેન્દ્રના મનમાં ઘેાળાયા કરતો હતો.