પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઉપકાર માનો કે એ તમને દયા દર્શાવવાની અને તમારા આત્માના વિકાસ કરવાની તક આપે છે.”

આ પ્રમાણે અનેક વિષયો ઉપર વાત ચાલતી. ધર્મ વિષે વાત કરતાં કરતાં સ્વામીજી અનેકવાર કહેતા કે, “મારા મિત્રો, વાદ- વિવાદનો પાર કદી આવવાનો નથી. રસ્તે ચાલવા માંડી અનુભવ મેળવવાથીજ ધાર્મિક સત્ય ખરા રૂપમાં સમજાય છે.”

ધાર્મિક વિષયો સમજાવતાં સ્વામીજી પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રમાંથી અનેક પુરાવા આપતા અને તેમનું પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર, ખગોળવિધા, ભુસ્તરવિદ્યા વગેરેનું જ્ઞાન જોઇને શ્રોતાઓ ચકિત થઈ જતા. ધાર્મિક વિષયો ઉપરથી તે સામાજીક વિષય ઉપર આવતા અને ગદ્‌ગદ્ કઠે ગ્રામ્યજનોની સ્થિતિ દર્શાવતા. તે કહેતા કે હિંદના ગ્રામ્યજનોને સ્વચ્છતા કે તંદુરસ્તીના નિયમોની ખબર નથી. તેઓ એકજ તળાવનું પાણી ન્હાવા ધોવામાં અને પીવામાં વાપરે છે. અને પોતાનો અવકાશનો સમય ગપ્પાં મારવામાં અને પત્તાં રમવામાંજ ગાળે છે.

બાબુજીનો બહુજ ભાવ અને આગ્રહ છતાં સ્વામીજીએ બેલગામથી આગળ જવાનો વિચાર કર્યો. જતી વખતે હરિપદ બાબુ સ્વામીજીને દંડવત્ પ્રણામ કરીને બોલ્યાઃ “ખરેખરા ભક્તિભાવથી હું કદીએ કોઈને નમ્યો નથી.” આજે આપને નમવાથી હું મારી જાતને વધારે ભાગ્યશાળી સમજું છું.”