ક્રૂરચંદ—ત્યારે તમે તેને ક્યારે મળ્યા હતા ?
સુરચંદ—હું એને આજ જ મળ્યો છું. તે પહેલાં કોઈ દિવસ મળ્યો નથી.
ક્રૂરચંદ—તો તેની પાસે પટો, કે મહોર છાપ વગેરે ગાંઈ જણાતું નહોતું, અને તમે શાથી જાણ્યું કે તે રાજાનું માણસ છે ?
સુરચંદ—એના દરેસ તથા આકાર ઉપરથી. કેમકે અમારા રાજાના માનીતા નોકરો એવા આકારના છે. અને તેઓનો દરેસ સૂત્રનો કે ઉનનો હોય છે.
ક્રૂરચંદ—એવાં કેટલાં માણસો રાજાનાં છે ?
સુરચંદ—વસ્તીનો હિસાબ ગણતાં રાજાનાં બહુ માનીતાં છેક થોડાં હોય છે, તે તમે જાણતા જ હશો.
ક્રૂરચંદ—વસ્તીના લાખમે હિસ્સે રાજાનાં એવાં માનીતાં હશે ?
સુરચંદ—ના ભાઈ, આવાં માનીતાં તો કરોડના કે અબજના હિસ્સાથી પણ છેક થોડા જ છે.
ક્રૂરચંદ—તે રાજાનું નામ શું ?
સુરચંદ—તમે કદાપિ જાણતા નહિ હો પણ તે રાજા તમને ઓળખે છે. અને આજે જે બનાવ બન્યો તે વાત બધી, એ રાજાની આગળ જાહેર થશે.
એવું સાંભળીને ક્રૂરચંદના મનમાં ધાશકો પડ્યો. અને ઘણા ભયથી તેનું શરીર થર થર ધ્રુજવા લાગ્યું. અને ધાર્યું કે, કોઈ વખતે મારે તે રાજાના ગામમાં જવું પડશે, અને જો રાજા મને ઓલેખતો હશે. તો આ વાતથી મારા ઉપર ઘણો ઘુસે થશે. કેમકે તેના નોકરને કુવામાંથી કાઢવાની મેં પ્રથમ ના પાડી હતી.
ક્રૂરચંદ—ભાઈ મહેરબાની કરીને મને કહો, કે તે કયા રાજાનું માણસ છે ?