પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ईश्वरी चोपडी विषे. ४.

વિદ્યાધર અને વિચારધરનો સંવાદ.

વિચારધર—આવો પ્યારા મિત્ર, તમે ઘણે દિવસે આજ મારા ઉપર કૃપા કરીને મારે ઘેર પધાર્યા.

વિદ્યાધર—ભાઈ મારા મનનો એક સંશય મટાડવા સારૂ આજ તો હું આવ્યો છું. તે સંશય એ કે, મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં, તેથી મારા મનમાં ઉલટા ઘણા સંશય પેઠા. અને હું તેથી ગભરાટમાં પડ્યો છું, તેથી મેં ધાર્યું કે મારા મિત્ર વિચારધર પાસે હું જઈશ તો તે મારા મનનું સમાધાન કરશે, એમ જાણીને હું આપની પાસે આવ્યો છું.

વિચારધર—શી વાતનો સંશય તમારા મનમાં છે ? તે મને કહો. અને મારા ઘરમાં મેં સૈંકડો પુસ્તકો એકઠાં કર્યાં છે. માટે તમારો જે સંશય હશે, તેનો ખુલાસો હું શાસ્ત્રમાંથી કરી આપીશ.

વિદ્યાધર—અરે ભાઈ, મેં ઉપદેશમાં, તથા નિતીનાં ઘણાં પુસ્તક વાંચ્યાં, તેથી મારા મનમાં એવો વિચાર આવ્યો કે, માણસ માત્રને માથે મરણનો ભય છે. માટે મુઆ પછી પરમેશ્વરને શો જવાબ દેઈશું ? તેની મને ઘણી ફિકર થાય છે. તેથી પરમેશ્વરને ઓળખવાનાં પુસ્તકો વાંચવાની હું ઘણી ચાહના રાખું છું પણ જુદા જુદા કવિયો જુદા જુદા પરમેશ્વર બતાવે છે, અને પ્રભુને પ્રસન્ન કરવાની રીત પણ જુદી જુદી લખી ગયા છે. તેમાંથી હું કેની વાત સાચી, અને કેની જુઠી માનું ?

જો પરમેશ્વરે પોતાને હાથે એક પુસ્તક લખીને આકાશમાં લટકાવી રાખ્યું હોત—તે એવું કે કોઈ માણસથી