પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
શાસ્ત્રીઓની સભા વિશે


નૈયાયક—અમારી સમજણ પ્રમાણે

છોકરો—(પુરાણીને) પુરાણ એટલે શું ?

પુરાણી—મહાભારત, ભાગવત આદિક અઢાર પુરાણ છે.

છોકરો—કેટલાં પુરાણ છે, એમ હું પુછતો નથી, પણ પુરાણ શબ્દનો અર્થ પુછું છું.

પુરાણી—પુરાણ એટલે જુનું.

છોકરો—ત્યારે શું તેમાં જુની વાતો હશે ?

પુરાણી—હાજી.

છોકરો—ભોજ કે વિક્રમની વાત તેમાં હશે ?

પુરાણી—નાજી, એથી અગાઉની વાતો છે.

છોકરો—તે પુરાણ ક્યારે થયેલાં હશે ?

પુરાણી—એ તો ત્રેતાયુગમાં, અથવા દ્વાપરમાં થયેલાં.

છોકરો—અશોકરાજાનું નામ કોઈ પુરાણમાં છે કે નહિ ?

પુરાણી—જાણ્યામાં છે તો ખરૂં.

છોકરો—અશોકરાજાને કેટલાં વર્ષ થયાં ?

પુરાણી—તે અમે જાણતા નથી.

છોકરો—અશોકની વખતનો શિલાલેખ ગિરનાર ઉપર છે, અને તેથી તેનાં વર્ષ જણાઈ આવે છે. અને તેના ઉપરથી એ પુરાણ ક્યારે બન્યું હશે તે પણ કહી શકાય.

પુરાણી—એ વાત કાંઈ સંભવતી નથી.

છોકરો—(જોશીને) વર્ષના દહાડા કેટલા.

જોશી—ત્રણસેં ને સાઠ.

છોકરો—ટીપણું કાઢીને ગણી જુઓ.