પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
અદબ વિષે

વળી બે દોહરા કહું તે સાંભળ
પરમેશ્વર જો પાધરો, શત્રૂથી શું થાય?
પથરા ફેંકે પાપિ તે, ફૂલ થઈ ફેલાય. ૧
પરનું બિગાડતાં પડે, જોખમ આપ જરૂર;
પ્રજાળતાં શિવપુત્રને'[૧], પ્રજળ્યું લંકાપુર. ૨


સુરચંદ : કહે છે કે ભાઈ બેઅદબી બોલનારા નિર્લજ લોકોની સોબત કરવી નહિ. અને વળી કેટલાએક સત્યવાદીનું ડોળ દેખાડતા હોય, પણ પોતે ઠગ સાચા જેવાહોય છે, એવાને તરત ઓળખી લેવા. અને પછી તેઓનો વિશ્વાસ ન કરવો.

ક્રૂરચંદ—ઠગ સાચો કોણ હતો તેની સાચી વાત મને કહો.

સુરચંદ—ઠગ સાચાની વાત સાંભળ, હું તને કહું.




  1. હનુમાનને