પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
ઠગ સાચા વિષે.

ખરચવાનો અખતીયાર તને કેણે આપ્યો હતો ? હવે તે નાણાનો જવાબ દઈને જા. પછી તેને કેદ કર્યો.

ક્રૂરચંદ—ભાઈ તમારી વાતો સાંભળીને મારું મન ધરાઈ જતું નથી. અને વધારે સાંભળવાની મને આતુરતા થાય છે માટે હવે મને એટલું કહો, કે હાલમાં કિયા કિયા નઠારા જુના ચાલ મટ્યા, અને કિયા નઠારા ચાલ હજી સુધી આપણા દેશમાં ચાલે છે ?

સુરચંદ—સાંભળ, તે વાત કહું.