માનિટર—આ તો વાત અચંબા જેવી છે. પ્રથીરાજરાસામાં, અને બીજા જુના ગ્રંથોમાં, લખ્યું છે કે, રણભૂમીમાં રૂધિરના પ્રવાહ ચાલતા હતા અને તેમાં હાથી તણાઈ જતા હતા. પણ તે વાત મારા માનવામાં આવતી નથી. કદાપિ તે વાત સાચી માનીએ, તોપણ આજના વખતમાં રૂધિરનો પ્રવાહ ક્યાંઈ જણાયો નથી, તો તેનો ઘુઘવાટ તો ક્યાંથી સંભળાય ?
મહેતાજી—આખા શરીરમાં લોહીનો પ્રવાહ હમેશાં ફરતો રહે છે, તે તમે જાણો છો કે નહિ ?
માનિટર—હા, કેટલાંએક ચોપાનિયાંમાં એ વાત તો મેં વાંચી છે. અને વળી એવું પણ સાંભળ્યું છે કે, એક જાતન સૂક્ષ્મદર્શકયંત્રથી શરીરમાંનો રૂધિરનો પ્રવાહ જોઈ શકાય છે. પણ તેનો ઘુઘવાટ સંભળાય છે, એવું મારા જાણવામાં નથી.
મહેતાજી—ત્યારે જુઓ - કે શરીરમાં ચાલતો રૂધિરનો પ્રવાહ, બીજા લોકોથી દેખી શકાતો નથી, પણ વિદ્વાનની વિદ્વત્તાથી દેખી શકાય છે. તેમ જ તેનો ઘુઘવાટ પણ વિદ્વત્તાથી સાંભળી શકાય છે.
માનિટર—ત્યારે કૃપા કરી તે મને સંભળાવો.
મહેતાજી—હવે તમારા કાનમાં આંગળીઓ ઘાલો, એટલે શરીરમાં ફરતા રૂધિરનો ઘુઘવાટ સંભળાશે.
માનિટર—(કાનમાં આંગળઓ ઘાલીને) અહાહા- આ ઘુઘવાટ રૂધિરના પ્રવાહનો હશે ?
મહેતાજી—હા, એ રૂધિરના પ્રવાહનો ઘુઘવાટ છે; આપણા દેશના ભોળા લોકો કહે છે કે રાવણની ચિતા બળે છે. તેનો