પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
તાર્કિક બોધ

ઘુઘવાટ છે; પણ તે વાત જુદી છે.

માનિટર—રાવણની ચિતાની વાત તો હું માનતો નહોતો, પણ મને એવી ખબર નહોતી કે - તે રૂધિરના પ્રવાહનો ઘુઘવાટ છે.

મહેતાજી—આપણા દેશના જોગીઓ તેને અનહદ નાદ કહે છે. અને સાંસરિક વાતથી દૂર રહેવા સારૂ એકાંતે વનમાં, ગુફામાં, કે ભોંયરામાં બેશીને પ્રાણવાયુ રૂંધીને, તે અનહદ નાદ, સાંભળવામાં મગ્ન રહે છે.

માનિટર—આ ઘુઘવાટ, તેનું કારણ સમજીને સાંભળવામાં ચમત્કાર છે ખરો. મારી આટલા વર્ષની ઉમર થઈ, તેમાં કોઈ દહાડે રૂધિરપ્રવાહનો ઘુઘવાટ મેં સાભળ્યો નહોતો. તમે આજ મને એ બાબતનું જ્ઞાન આપ્યું, ત્યારે મેં સાંભળ્યો. હવે મારી ખાતરી થઈ, કે વિદ્વાનને ચાર કાન, અને ચાર આંખો હોય છે, કેમેકે વિદ્વાનો જે દેખે છે, તે વગર ભણેલા દેખતા નથી અને વિદ્વાનો જે સાંભળે છે, તે વગર ભણેલા સાંભળતા નથી. જેમ કે અનંતકોટિ બ્રહ્માંડો છે, એવું વગર ભણેલા કહે છે ખરા, પણ તેઓ દેખતા નથી. જો પુછીએ તો સાફ ના પાડશે કે અમે સાંભળ્યું છે ખરાં, પણ દીઠાં નથી અને ભણેલા તરત કહેશે કે રાતની વખતે સૈકડો બ્રહ્માંડ અમારી નજરે પડે છે.


સોરઠો.

ઉત્તમ ગુરૂથી આમ, અંતર આંખ્યો ઉઘડે;
દાખે દલપતરામ, સ્નેહે સદગુરૂ સેવિયે. ૧

ક્રુરચંદ—ભાઈ, નવી નવી વાતો વિદ્વાન લોકો શી રીતે