પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭
રૂધિર પ્રવાહ વિષે.

જોડી કહાડતા હશે ?

સુરચંદ—ભાઈ, નવી વાતો જોડી કાઢવી તે કવિતા શક્તિનું કામ છે. અને જેમ જેમ બહુ અસરકારક વાત જોડે, તેમ તેમ તેની કવિતા શક્તિ વખણાય છે. ફક્ત વાતો ગદ્યમાં જોડી કહાડવી તે અરધી કવિતા શક્તિ છે. અને તેની પદ્યમાં રચના કરવી તે પૂરી કવિતા શક્તિ છે. તે કવિતા એક કોડીની કિંમતથી તે લાખ રૂપૈયાની કિંમત સુધીની થાય છે. તે વિષે વ્યંગ, ધ્વનિ, અને લક્ષણાના સંસ્કૃત ગ્રંથોમાં તથા વ્રજભાષાના ગ્રંથોમાં વિસ્તરથી લખેલું છે.

કવિતા શક્તિ ઈશ્વરે આપેલી હોય છે, પણ જેમ જેમ અભ્યાસ કરે તેમ તેમ વધારે ખુલ્લે છે. તે વિષે મોટી ઘોડાગાડીની એક વાત કહું તે સાંભળ.