પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

 આગ્રહ કર્યો, પણ જુગલભાઈને આવી સ્થિતિમાં મૂકીને નહી જાઉં એમ કહ્યું, અને તાવને ન ગણકારી જુગલને દુધ પાવા, જુગલને પાસું બદલાવવા, એનો ગળફો કાઢવા એની પથારી પાસે બેસી જ રહી.

આમ ને આમ પાંચ દિવસ ગયા અને જુગલની અશક્તિ વધી. હવે જુગલથી પામું બદલાતું નહીં, હાથપગ પણ ઉપાડવાની શકિત જતી રહી, અને લીલા, ગંગા, અરવિન્દના સામું જોતો પણ કોઇને ઓળખતો હશે કે કેમ તે શક છે. લીલાએ ઘીનો દીવો સળગાવ્યો, અને ગંગાને ગીતા ભણવા આગ્રહ કર્યો. ધૂપની સળી સળગાવી, ગંગા ધડકતે હૃદયે ગીતા વાંચવા બેઠી. ગીતાનો અધ્યાય પૂરો થતાં પહેલાં, ગંગાના માંથી 'મામેકં શરણં વ્રજ'-'એક મ્હારે શરણે આવ' એ શબ્દો નિકળે છે ત્યાં જુગલે નિશ્વાસ નાંખ્યો અને એને આત્મા હતો ન હતો થઈ ગયો.

અરવિન્દ છેક પોતાના દેશથી ઘણે વર્ષે પત્તો મેળવલા ભાઈને મળવા–પોતાને ત્યાં લઈ જવા આવ્યો હતો. અને સ્વપ્નામાં પણ નહોતું કે આમ અઠવાડીયામાં જુગલનું સ્વપ્નવત્ દર્શન થશે ને ગુમ થશે. અરવિન્દે મૃત્યુ-મૃત્યુની પીડા જોયાં નહોતાં અને તેથી આજ જુગલના શબને જોતાં જ, એમાં કાંઈ જ ન લાગતાં બાળકની પેઠે મોટેથી તે રોયો. આ જ પળે એને જીવનના સુખ-દુ:ખ, ઉપયોગીતાને વિચાર આવ્યો અને સંસાર વિષમય લાગ્યું. પરમાત્માની કૃપાથી લીલા-ફરી ગયેલી લીલા–સાથે હતી એટલું સારું હતું. સુખના વખતમાં ગમે તે હશે પણ દુઃખમાં વજ્રસમ ધૈર્ય રાખનાર સાધવી સ્ત્રીના સહવાસથી નર્ક પણ સ્વર્ગ બને છે–દુઃખ પણ સુખમય લાગે છે. અરવિન્દની સ્થિતિ આવી હતી. લીલાના સ્નેહાળ શબ્દથી એ બધું દુઃખ વિસર્યો, એના અંધકારમય જીવનમાં પ્રકાશ પડ્યો. અને પત્ની-સ્નેહાળ પત્ની ગૃહસંસારમાં જ રહી કર્તવ્ય બજાવે છે જે આનંદ સોસાયટીમાં ફરવા હરવાથી નથી મળતા તે આનંદ કેવો ફેલાવી શકે છે, એનું એને ભાન થયું. લીલા પોતે પણ સમજી અને ગૃહદેવી-ગૃહલક્ષ્મી સ્ત્રીઓને