પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વક્ર દૃષ્ટિ : ૨૦૧
 

જ હતો.

'મારે પણ જમવું નથી.’ તારાએ કહ્યું.

સરલા હસી અને બોલી :

‘આજ શું છે ? વ્રત-ઉપવાસ તો લગ્નને દિવસે જરૂરી ગણાય તે પહેલાં નહિ.' એટલું કહી સરલા અંદરના ઓરડામાં ચાલી ગઈ. બાળકો, દર્શન અને તારાને જોવા લાગ્યાં. દર્શન અને તારા એકબીજાની સામે વાંકી દૃષ્ટિ કરી નિહાળી રહ્યાં !