પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१४

વષ્ણુ ધર્મ ઉપર મે જે કઈ આજલગી લખ્યું છે તેના, આ પુસ્તિકા સંગ્રહ છે. તે કેટલાક અથવા ધણા માસ પૂર્વે છપાઈ ચૂકી હતી, પણ પ્રસ્તાવનાને અભાવે એમ જ પડી રહી. મે પ્રસ્તાવના આપવાનું કબૂલ્યું હતું. પણ હરિજન યાત્રાને લીધે આજ લગી લખી જ ન શકયો. જુદે જુદે પ્રસંગે લખાયેલું એક વાર સળગ વાંચીને પછી પ્રસ્તાવના લખવાની હાંશ હતી. એ ડાંગ તા આજ પણ પૂરી નથી કરી શકતા. કદાચ એમાં જ લાભ . મને. પૂર્વાપર સબંધ વિચ્છિન્ન રાખવાનો લાભ નથી. સત્યને સાક્ષી રાખીને આજે હું શું માનું છું તે કહી દેવું પ્રસ્તુત છે. પ્રકાશક પણુ એ જ ચાહે છે. પૂર્વાપર સબંધ જળવાય છે કે નહિ એ વાંચનારે જોવાનું છે. જ્યાં મેળ ન સધાય એમ વાંચનારને લાગે ત્યાં તેણે મારી મનેદશા જાવી હાય તે આ પ્રસ્તાવનામાં લખ્યું હોય તે પ્રમાણે માની આગલાના ત્યાગ કરવા હું કાંઈ સવ નુતાના દાવા નથી કરતો. મારા દાવા સત્યને આગ્રહી હોવાના ને જે વખતે જે સત્ય ભાસે તે પ્રમાણે યથાશકિત આચર કરવાના છે. તેથી જાણ્યે અજાણ્યે મારામાં ઉત્તરશત્તર ફેરફાર અથવા વૃદ્ધિ જે કહો તે થવાનો સંભવ છે. જ્યાં જ્ઞાનપૂર્ણાંક ફેરફાર સૂઝે ત્યાં તે હું તેની નૈષ કરું જ, પણ સૂક્ષ્મ ફેરફારો અજાણ્યે જ થયાં કરે. તેની તૈોંધ કયાંથી જ લઈ શકાય? એ નોંધ તા ચકાર વાંચનાર જ લઈ શકે છે. સામાન્ય વ્યવહારમાં વધ સમાસનો ઉપયોગ થાડા કરીએ છીએ; વર્ણાશ્રમધમ સમાસના ઉપયેાગ લેકામાં વધારે પ્રચલિત છે. આ પુસ્તિકામાં આશ્રમધમ વિષે ઓછું જ લખાયું છે ને વષ્ણુ ધર્મ વિષે વધારે લખાયુ' છે. પશુ હિંદુધર્મનું ખરું નામ વર્ણાશ્રમધ એમ કહી નાકાય.