લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૮૩
 

સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે. રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે ન ઊતરે પણ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું આપોને”

ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં રમવા માંડે. ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું ? માબાપ આડે કેમ બોલાય ? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં.

એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં સોનબાઈની માએ નાના ભાઈને કીધું : “ભાઈ, ભાઈ ! આપણી સોનબાઈને જીવની ઘોડે સાચવજે.” ભાઈ કહે : “હો, બા ! એમાં તે કહેવાનું હોય ? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ. તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ જરા યે ન કરવા.”

સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં.

સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં એનું પોતિયું હેઠે પડી ગયું.

સોનબાઈ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું લાવોને ?”

ભાભી કહે : “લેને તારી મેળાએ ! તારા હાથ ભાંગી ગયા છે ? હું તે શાની આપું ?”

સોનબાઈને રોવું આવી ગયું.

સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે : “એમ ખાવાબાવા નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી