પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ ગઈ. રાણી ગોલીને જોઈને કહે : "ગોલી ! તું રોતી રોતી કેમ આવી ? ઘરમાં શું થયું ?” ગોલી કહે : "અરે બા ! કીધાની વાત નથી; ભૂંડું થયું છે !” રાણી કહે : "શું છે ? કહે તો ખરી ઝટ, કંઈ ઉપાય તો ૧૫૦ થાય?” ગોલી કહે : નદી નપાણી કોયલ કાણી વાણીયો દીવાનો ગોલો મૂંઝાણો, અને ગોલી રોતી.’’ રાણી કહે : "આ તો ગજબ થયો ! હવે આ બધું દુ:ખ ભૂલવા માટે હું તો નાચવા માંડીશ. નાચવામાં બધું દુઃખ વિસારે પડશે.” એમ કહી રાણી નાચવા લાગી. કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યા ભેંશશીંગ પડયાં ત્યાં કુંવર આવ્યો. કુંવર કહે : "મા, મા ! આ શું કરો છો ? તમને આ શું થયું છે ?” રાણી કહે : "ભાઈ ! ભારે દુઃખ પડયું છે, તે ભૂલી જવા માટે નાચું છું.” કુંવર કહે : "માડી ! કહો તો ખરાં ? તમને શું દુઃખ હોય ?” રાણી કહે :