પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સાચું કહો છો? મને તો આજ સુધી આ વાતની ખબર પણ નહોતી—’

‘કોઈને ખબર નથી,’ મંચેરશાએ કહ્યું, ‘ફક્ત હું, કીલો ને એનો ગુરુ ત્રણ માણસ સિવાય બીજા કોઈને આ વાતની ખબર નથી.’

‘પણ હવે તો—’

‘હવે તો એ ગુરુને છોડી નાસી આવ્યો છે.’

‘નાસી આવ્યા છે? ગુરુને છોડીને?’ નરોત્તમે વધારે આઘાત અનુભવ્યો. પૂછ્યું: ‘શા માટે?’

‘સાધુજીવનમાં એને કાંઈ સાર દેખાયો નહીં એટલે પાછો સંસારમાં આવી પડ્યો.’

‘સંસા૨માં પાછા આવ્યા જ છે, તો હવે ૨ીતસ૨નો ઘરસંસાર માંડવામાં એને શું વાંધો છે?’

‘મેં પણ એને એ જ કહ્યું, પણ માનતો નથી,’ કહીને મંચે૨શાએ ગંભી૨૫ણે સૂચવ્યું: ‘હવે તો તું એને સમજાવી જો! કદાચ તારી વાત માની જાય તો—’

‘ભલે, હું સમજાવીશ.’ નરોત્તમે કહ્યું, ‘ને મનાવીશ પણ ખરો—’

બીજે દિવસે નરોત્તમ કોઠીમાં કીલાને મળવા ગયો ત્યારે એને ઉંબરામાં પેસતાં જ કીલાએ પોતાની લાક્ષણિક ઢબે પોંખવા માંડ્યો: ‘કેમ અલ્યા મોટા, હમણાં કાંઈ બહુ મોંઘો થઈ ગયો છે?’

‘હું તો સાવ સોંઘો છું… તાંબિયાના તેર કરતાંય સોંઘો. નરોત્તમે નમ્રતાથી કહ્યું. અને પછી આટલા દિવસમાં આ મોટેરા વડીલ સાથે કેળવાયેલી નિકટતાની રૂએ એણે ઉમેર્યું: ‘મોંઘા તો તમે થઈ ગયા છો!’

‘અલ્યા, આ કીલાને મોંઘો કહેનારો તો આ ગામ આખામાં તું જ એક નીકળ્યો!’

સ્વાર્થનાં સગાંઓ
૩૩૯