પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
રતિનાથની રંગભૂમિ

અને મા બાપ તથા ધર્મશાસ્ત્રોની આજ્ઞા પાલનમાં શિથિલતા આવી સમાજ અધોગતિને માર્ગે ઘસડાય છે. સ્ત્રીનું શિયળ એ દુનિયાનું અમૂલ્ય, મોંઘામાં મોંઘું સંરક્ષણીય પવિત્ર રત્ન છે, અને તેનો પતિ તેનો રક્ષણહાર છે. આ વ્યવસ્થા-મર્યાદા તૂટે ત્યાં પ્રજામાં સંકરતા અને ભયંકર ખાનાખરાબી થાય છે.

આ સાપેક્ષ અથવા દ્રન્દ્વશીલ દુનિયામાં બે પ્રકારની માનવસૃષ્ટિ હોય છે.– એક સદાચારી અને બીજી દુરાચારી. સદાચારના વર્તનવાળો માણસ ધાર્મિક અને ઇશ્વરપ્રિય હોય છે, તથા ઈશ્વરની આજ્ઞા પાળીને સંસાર વહેવાર ચલાવે છે; જ્યારે દુરાચારીને ઇશ્વરનો કશો ભય હોતો નથી, અને મનસ્વી – સ્વચ્છંદી રીતે વર્તી છેવટે તે દુ:ખી થાય છે. આ બન્ને પ્રકારના પ્રાણીઓને ઉત્પન્ન કરનાર કર્મફળદાતા એક ઇશ્વર જ ઓળખાતો નથી. અને એક ધારૂં જીવન જીવવામાં રસ પણ રહેતો નથી. આ સદાચાર તથા દુરાચાર જાણવા માટે પરમેશ્વરે માણસ માત્રમાં જે સારાસારનો ભેદ જાણવાની વિવેક બુદ્ધિ મુકેલી છે, અને તેનો ઉપયોગ પ્રાણી માત્ર જે રીતે કરે છે તેના ઉપર સુખ દુઃખાદિ લાગણીઓ અવલંબેલી હોય છે. મન સંકલ્પ વિકલ્પ કરે છે. જ્યારે સારી કેળવાયેલી બુદ્ધિ તેનો નિશ્ચય કરે છે. આ સર્વ ઉપરથી કહેવત પડી છે કે મન જાણે પાપ અને મા જાણે બાપ. મન જ પાપ-પુણ્યનું સાક્ષી બને છે, માટે ચંચલ મનને સારે માર્ગે જવા માટે અભ્યાસ અને વૈરાગ્યથી કેળવવું જોઈએ.

સંસારમાં સ્ત્રી પુરૂષોનો સારો સંબંધ એ સમાજની સુસ્થિતિનું કારણ છે. યાવત પ્રાણી માત્રમાં નરનારીનો સંબંધ છે, તે છતાં મનુષ્ય પ્રાણીમાં તે નાજુક સંબંધને સકારણ ધાર્મિક-સદાચારનું સ્વરૂ૫ અને મહત્ત્વ અપાયલું હોવાથી, તેમાં વિધિસરના લગ્ન સંબંધની અગત્ય ઉભી થઈ છે, અને સામાન્યતઃ એક પુરુષ અને એક જ સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી આજીવન બંધાયલા રહે છે. જે કોઈ સ્ત્રી કે પુરૂષ કશા