પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
વ્યભિચારનિષેધનાં શાસ્ત્રોક્ત પ્રમાણો

राष्ट्रस्य चितं कृपणस्य वित्तं मनोरथं दुर्जनमानुशाणाम् ।
स्त्रिश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः ॥

રાષ્ટ્રનું ચિત્ત, કંજૂસનું વિત્ત, દુર્જન મનુષ્યોનો મનોરથ, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતો નથી તો પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)

शस्त्रेण वेणीविनिगूहितेन विदूरथं वै महिषी जघान् ।
विषप्रदिग्धेन च नूपुरेण देवी विरक्ता किल काशिराजम् ।।

વિદૂરથ રાજાને તેની રાણીએ વેણીમાં છુપાવેલા શસ્ત્રથી માર્યો. કાશિરાજને તેની વિરક્ત દેવીએ વિષ લગાડેલા નૂપુરથી માર્યો.

लङ्केश्वरो जनकजाहरेणन वाली तारपहारकनयाष्यय कीचकारव्यः ।
पाञ्चालिकाग्रहणतो निधनं जगम तखेतमापि परदाररतिं न काङ्क्षेत् ॥

જનકકન્યા સીતાનું હરણ કરવાથી લંકાપતિ રાવણ મરણ પામ્યો. તારાનું હરણ કરવાથી વાલી મરણ પામ્યો. પાંચાલી–દ્રૌપદીનું ગ્રહણ કરવાથી કીચક મરણ પામ્યો. એમ હોવાથી ચિતથી પણ પરસ્ત્રીની રતિની ઇચ્છા કરવી નહીં.(સુભાષિત)

व्यभिचारण वर्णनाप्रर्वद्यावेदनेन च ।
स्वकर्मणां च त्वागेन जायन्ते वर्गसङ्कराः ॥ (मनु: १० । २४)

વર્ણોના વ્યભિચારથી - બ્રાહ્મણાદિ વર્ણોમાં પરસ્પર વિવાહ કરવાથી, સગોત્રમાં વિવાહ કરવાથી અને સ્વોચિત કર્મોનો-ઉપનયનાદિ સંસ્કારોનો ત્યાગ કરવાથી પ્રજામાં વર્ણસંકર થાય છે.

व्यभिचारात्तु भर्तुः स्त्री लोके प्राप्नोति निन्द्यताम् ।
शृगालयोनिं प्राप्नोति पापरोगैश्च पीड्यते ॥ (मनु: ५ ।१६४)

પતિને તજીને અન્ય પુરુષ સાથે વ્યભિચાર કરનારી સ્ત્રી લોકમાં નિંદ્ય થાય્ છે, શિયાળની યોનિને પામે છે અને પાપી રોગોથી પીડાય છે.