પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
પ્રકાશકનું નિવેદન

હોંસથી ખાસ વંચાય છે અને તેના ઉપરથી નાની મોટી નવલકથાઓ પણ લખાયેલી પ્રસિદ્ધ છે. ફ્રેન્ચ વગેરે ભાષામાં આવું સાહિત્ય ઘણું છે. Sex Knowledge – જાતીય જ્ઞાનને નામે પણ ઘણા ગ્રંથો લખાયલા છે. તેવાજ પ્રકારની આ “વીર ક્ષેત્રની સુંદરી” નામની નવલકથા છે. અમે વ્યભિચાર દોષનો બચાવ કરતા નથી, પણ કામસૂત્રમાં વાત્સ્યાયન મુનિએ જણાવેલું છે કે, મારા ગ્રંથમાં रसस्तु परकीयाम વગેરે સુત્રો સમજાવનારું પરકીયાનું પ્રકરણ જે લખાયલું છે તે એટલા માટે કે ખરાબ ચાલના સ્ત્રી-પુરૂષો બીજાઓને કેમ ફસાવે છે અને ફસાય છે, તેથી સારા ચરિત્રવાળા માણસોએ ચેતતા રહી સ્ત્રીરૂપી રત્નનું નિત્ય સંગોપન અને સંરક્ષણ કરતા રહેવું જોઈએ. મનુ મહારાજાએ લખ્યું છે કે, સ્ત્રી રૂપી રત્નની બાલ્યા અને કુમારાવસ્થામાં પિતાએ રક્ષા કરવી, યુવાનીમાં તેના લગ્ન સંબંધથી જોડાયેલાં પતિએ રક્ષા કરવી, અને મોટી અવસ્થાએ જો તે વિધવા હોય કે વૃદ્ધા હોય તો તેના પુત્રાદિ અને સગાવાહલાંએ રક્ષા કરવી જોઈએ: એટલે સ્ત્રી રત્નને એકલું સ્વચ્છંદી સ્વતંત્ર રઝળતું ન ધણિયાતું બનવા ન દેવું, પણ એ સર્વદા ગોપ્ય તથા સંરક્ષણીય છે, માટે સ્વતંત્રતાને યોગ્ય નથી એમ ગણવું: પણ સ્ત્રી જાતિ પુરુષ જાતિની ગુલામી કરવા સરજાયલી છે એમ નહિ માનવું. મનુ મહારાજના આ શ્લોકોનો આવો સીધો સાદો અર્થ ન સમજતાં આજકાલના મન્વાદિ સ્મૃતિની નિંદા કરનારાઓ અને પોતાના સ્વચ્છંદ વર્તનને ઢાંકવાનો પ્રયાસ કરનારા કહે છે કે મનુ વગેરે સ્મૃતિમાં સ્ત્રીઓને પુરૂષની ગુલામડીજ બનાવી દીધી છે, તેથી સ્ત્રીને સ્વતંત્રતાને યોગ્ય ગણી નથી. આ માન્યતા ગેરસમજ અને દિશા ભૂલ ભરેલી છે, તે અજ્ઞાન જ દર્શાવે છે. આધુનિક પાશ્ચાત્ય લેખકો બરટાન્ડ રસલ વગેરેના લેખો વાંચી ઘણાઓનાં મગજો ફરી ગયેલાં હોય છે, અને તેની અસરથી ગુજરાતી ભાષાના લેખક પણ મુક્ત થયા નથી તેથી તેએા વ્યભિચારના નિંદ્ય પ્રકારને સુંવાળો સહચાર વગેરે ભભકાભર્યા નામો